July 3, 2024

Rajkot Game Zone Tragedyમાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત, પતિનું મોત થતા પત્ની ટ્રોમામાં

ડાબે વિરેન્દ્રસિંહ જાડેજા, વચ્ચે દેવર્ષિબા અને ડાબે ઓમદેવસિંહ ગોહિલ - ફાઇલ તસવીર

રિપોર્ટ – ઋષિ દવે, રાજકોટ

Rajkot Game Zone Tragedy: રાજકોટના ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક 32એ પહોંચ્યો છે. ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ છે. તમામ ઇજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ગેમઝોનમાં એક જ પરિવારના સાત સભ્યો ગયા હતા. તેમાં ઘરના મોભી વિરેન્દ્રસિંહ જાડેજા સાથે બાળકો સહિત સાત પરિવારના લોકો ગેમઝોનમાં ગયા હતા. વિરેન્દ્રસિંહના પત્ની અને તેની પુત્રી ગેમઝોન બહાર બેઠા હતા. જ્યારે આગામાં વિરેન્દ્રસિંહ સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યા છે. પતિ વિરેન્દ્રસિંહ સહિત ઘરના પાંચ લોકોના મૃત્યુની વાત સાંભળી તેમની પત્નીને શોક લાગ્યો હતો અને ટ્રોમામાં જતા રહ્યા છે. હાલ તેમને ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Rajkot Game Zone Tragedy: કેમ લાગી આગ? જાણો મોટો ખુલાસો

જવાબદારો સામે ફરિયાદ નોંધાઈ
રાજકોટ અગ્નિકાંડના જવાબદાર ગુનેગારો સામે આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુલ 6 આરોપીઓની સામે પોલીસ ગુનો નોંધવામાં આવ્યો છે. TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. TRP ગેમઝોનની જગ્યા ધવલ કોર્પોરેશન નામથી રજિસ્ટર કરવામાં આવી હતી. IPCની કલમ 304 અને 114 મુજબ ગુનો નોધવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ એસીપી વિનાયક પટેલ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Rajkot Game Zone Tragedyમાં 5 બાળકને બચાવનારા પ્રત્યક્ષદર્શીએ કહ્યું – પહેલા માળેથી…

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આ આગમાં 28નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.