July 3, 2024

Rajkot Game Zone Tragedy મામલે પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ, જાણો શું કહ્યું…

રિપોર્ટ – ઋષિ દવે, રાજકોટ

Rajkot Game Zone Tragedy: રાજકોટમાં આવેલા TRP ગેમઝોનમાં ભયંકર આગ લાગી હતી અને તેમાં અત્યાર સુધીમાં 32 લોકોનાં મોત નીપજ્યા છે. હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. ત્યારે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યુ હતુ કે, ‘TRP ગેમઝોનમાં સાંજે 5.30 વાગ્યે આગનો બનાવ બન્યો હતો. તેમાં અત્યાર સુધીમાં કુલ 27 મૃતદેહ રિકવર કરવામાં આવી છે. હાલ ગાંધીનગરમાં મૃતદેહોના DNAની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત 6 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.’

આ પણ વાંચોઃ Rajkot Game Zone Tragedyમાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત, પતિનું મોત થતા પત્ની ટ્રોમામાં

તેઓ જણાવે છે કે, ‘આ ઘટના મામલે માલિક યુવરાજસિંહ અને મેનેજર નીતિન જૈનની ધરપકડ કરવામાં આવી છે. ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જોઈન્ટ પોલીસ કમિશનર વિધિ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સ્પેશિયલ ટિમની રચના કરવામાં આવી છે. આ ઘટના મામલે વહેલી તકે ચાર્જશીટ થાય તે માટે પોલીસના પ્રયાસ રહેશે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘ગેમઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો હતા પરંતુ જે કાર્યવાહી કરવાની હોય તે ત્યાં થઈ નથી. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે અને આરોપીની ધરપકડ કરશે.’

આ પણ વાંચોઃ Rajkot Game Zone Tragedy: કેમ લાગી આગ? જાણો મોટો ખુલાસો

જવાબદારો સામે ફરિયાદ નોંધાઈ
રાજકોટ અગ્નિકાંડના જવાબદાર ગુનેગારો સામે આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુલ 6 આરોપીઓની સામે પોલીસ ગુનો નોંધવામાં આવ્યો છે. TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. TRP ગેમઝોનની જગ્યા ધવલ કોર્પોરેશન નામથી રજિસ્ટર કરવામાં આવી હતી. IPCની કલમ 304 અને 114 મુજબ ગુનો નોધવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ એસીપી વિનાયક પટેલ કરી રહ્યા છે. હાલ આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આ આગમાં 32નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.