પ્રયાગરાજ સંગમ રેલ્વે સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા પહેલા ખાસ જાણી લો

Mahakumbh 2025: મહાકુંભ મેળામાં ભારે ભીડને કારણે ઉત્તર મધ્ય રેલ્વે (NCR) ના પ્રયાગરાજ સંગમ રેલ્વે સ્ટેશનને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. રેલવેએ પહેલા 14 ફેબ્રુઆરી અને પછી 16 ફેબ્રુઆરી સુધી સ્ટેશન બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ભીડ ઓછી ન થતાં હાલ પૂરતું સ્ટેશન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ સ્ટેશનથી ટ્રેન પકડનારાઓએ હવે ફાફામઉ રેલ્વે સ્ટેશન જવું પડશે.
વહીવટીતંત્રની માંગ બાદ પ્રયાગરાજ વિસ્તારના નવ સ્ટેશનોમાંથી એક પ્રયાગરાજ સંગમ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ વિસ્તારના બાકીના 8 સ્ટેશનો સામાન્ય રીતે કાર્યરત રહેશે.
દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા
તમને જણાવી દઈએ કે શનિવારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મહાકુંભ માટે દેશના ખૂણે ખૂણેથી લોકોની ભારે ભીડ અને ભાગદોડને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ, વારાણસી, અયોધ્યા, કાનપુર અને મિર્ઝાપુર સહિત ધાર્મિક આસ્થા સાથે સંકળાયેલા શહેરોના સ્ટેશનો પર અગાઉ જારી કરાયેલા પ્રોટોકોલનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. ઉત્તર મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે અમે અગાઉ જારી કરાયેલા પ્રોટોકોલનું કડક અમલીકરણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ. અમે મૌની અમાવસ્યા, વસંત પંચમી જેવા સ્નાન ઉત્સવો સફળતાપૂર્વક યોજ્યા છે અને ભવિષ્યમાં પણ આ જ પ્રોટોકોલ રહેશે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં સગર્ભા મહિલાઓને સહાય ન આપવાના કૌભાંડનો પર્દાફાશ, PMVY-નમોશ્રી યોજના કાગળ પર
શહેર તરફથી પ્રયાગરાજ જંક્શનમાં પ્રવેશ
તેમણે કહ્યું કે આ પ્રોટોકોલ હેઠળ, પ્રયાગરાજ જંકશનમાં પ્રવેશ શહેર બાજુથી અને બહાર નીકળવાનો રસ્તો સિવિલ લાઇન્સ બાજુથી કરવામાં આવી રહ્યો છે અને મુસાફરોને ટ્રેન પ્લેટફોર્મ પર આવે ત્યાં સુધી હોલ્ડિંગ એરિયામાં રાખવામાં આવે છે. પ્રયાગરાજ જંકશન પર તૈનાત RPF ઇન્સ્પેક્ટર શિવ કુમારે જણાવ્યું હતું કે પ્રયાગરાજ જંકશન પર ભીડ નિયંત્રણમાં છે.