ભારત-થાઇલેન્ડ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોથી જોડાયેલા છે: PM મોદી

PM Modi Bangkok Visit: PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને થાઇલેન્ડ વચ્ચે સદીઓ જૂના સંબંધો છે. આ સંબંધો આપણા ગાઢ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધો સાથે જોડાયેલા છે. અમે ભારત-થાઇલેન્ડ સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવાનો નિર્ણય લીધો છે.
PM Narendra Modi tweets, "Had a very fruitful meeting with Prime Minister Paetongtarn Shinawatra in Bangkok a short while ago. Expressed gratitude to the people and Government of Thailand for the warm welcome and also expressed solidarity with the people of Thailand in the… pic.twitter.com/Q0kX4kOykM
— ANI (@ANI) April 3, 2025
આજે પીએમ મોદીએ થાઇલેન્ડના PM પેટોન્ગટાર્ન શિનાવાત્રા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી. ત્યારબાદ પીએમ મોદીએ શિનાવાત્રા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, ભારત અને થાઈલેન્ડના પૂર્વોત્તર રાજ્યો વચ્ચે પ્રવાસન, સંસ્કૃતિ અને શિક્ષણના ક્ષેત્રમાં સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિ અને ઈન્ડો-પેસિફિક વિઝનમાં થાઈલેન્ડનું વિશેષ સ્થાન છે.
As PM Narendra Modi visits Thailand, the country releases a special stamp based on Ramayan mural paintings from the 18th century. pic.twitter.com/wnWcmK9cxe
— ANI (@ANI) April 3, 2025
ટપાલ ટિકિટ જારી કરવા બદલ હું થાઈ સરકારનો આભારી છું: પીએમ મોદી
થાઈ સરકારે PM મોદીની મુલાકાત દરમિયાન 18મી સદીના ‘રામાયણ’ ભીંતચિત્રો પર આધારિત ટપાલ ટિકિટ બહાર પાડી, જેના માટે પીએમ મોદીએ થાઈ સરકારનો આભાર વ્યક્ત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે મારી મુલાકાત દરમિયાન ટપાલ ટિકિટ બહાર પાડવા બદલ હું થાઈ સરકારનો આભારી છું.
#WATCH | In Bangkok, Thailand, Prime Minister was presented with the Holy Scriptures: “World Ti-pitaka: Sajjhaya Phonetic Edition” by the Prime Minister of Thailand, Paetongtarn Shinawatra.
It was brought out by the Thai government in 2016 to commemorate King Bhumibol Adulyadej… pic.twitter.com/nnsDMrWxS9
— ANI (@ANI) April 3, 2025
ભૂકંપમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
આ ઉપરાંત, PM મોદીએ 28 માર્ચે થાઇલેન્ડમાં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે ઊંડા સંવેદના વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારતના લોકો વતી, હું ભૂકંપમાં થયેલા જાનહાનિ માટે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.