શિયાળુ સત્ર છે, વાતાવરણ ઠંડુ રહેશે… કોંગ્રેસની કારમી હાર પર PM મોદીનો ઈશારા-ઈશારામાં કટાક્ષ

Delhi: સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે. જે 20 ડિસેમ્બર સુધી ચાલશે. મહારાષ્ટ્ર અને યુપીમાં બમ્પર જીત બાદ પીએમ મોદી પહેલીવાર સંસદ સત્રને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે શિયાળુ સત્ર છે, વાતાવરણ પણ ઠંડુ રહેશે. 2024નો છેલ્લો સમયગાળો ચાલી રહ્યો છે. સંસદનું આ સત્ર અનેક રીતે ખાસ છે. સૌથી મોટી વાત એ છે કે આપણું બંધારણ 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. લોકશાહી માટે આ ખૂબ જ ઉજ્જવળ તક છે. આવતીકાલે બંધારણના 75માં વર્ષ અને તેની ઉજવણીની શરૂઆત કરવા માટે બંધારણ સભામાં બધા એક સાથે આવશે.
પરંપરા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્રના પહેલા દિવસે સંસદ ભવન સંકુલમાં હંસ ગેટ પાસે મહત્વપૂર્ણ વિષયો પર માહિતી આપશે. સંસદના શિયાળુ સત્રમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની 19-9 બેઠકો થશે. સરકારે સત્રમાં વિચારણા માટે વકફ (સુધારા) બિલ સહિત 16 બિલોની યાદી તૈયાર કરી છે. લોકસભામાં આઠ અને રાજ્યસભામાં બે બિલ પેન્ડિંગ છે.
આ પણ વાંચો: તૂર્કિમાં લેન્ડિંગ બાદ રશિયાના વિમાનમાં લાગી આગ, મોટો અકસ્માત ટળ્યો
સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર સંસદમાંથી ઘણા મહત્વપૂર્ણ બિલો પસાર કરાવવાનો પ્રયાસ કરશે. આમાં બેંકિંગ નિયમો (સુધારા) બિલ અને રેલવે (સુધારા) બિલનો સમાવેશ થાય છે, જે ગયા સત્રમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ પાસ થઈ શક્યા ન હતા. ભારતીય એરક્રાફ્ટ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જેને ચોમાસુ સત્રમાં લોકસભાની મંજૂરી મળી ગઈ છે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ ઘણા મહત્વપૂર્ણ બિલ સામે વાંધો ઉઠાવી શકે છે. આવી સ્થિતિમાં સંસદનું શિયાળુ સત્ર તોફાની રહેશે તે નિશ્ચિત છે.