May 21, 2024

PM Modi in Gujarat: પીએમ મોદી આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં સભા સંબોધશે

પીએમ મોદી બનાસકાંઠા અને પાટણ લોકસભાના ઉમેદવારોના સંમર્થનમાં જાહેરસભાને સંબોધશે.

પાર્થ ભટ્ટ, સાબરકાંઠા: લોકસભા 2024ની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનનાં આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આજે ગુજરાતની સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરકાંઠા ખાતે સભા સંબોધશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના સરહદમાં આવેલ આમોદરા ગામની સીમમાં જંગી વિજય વિશ્વાસ સભા યોજાશે. આ સભા માટેની તમામ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આટોપી લેવામાં આવી છે.

13 લોકસભા બેઠક પર મોદીના પ્રચારની થશે અસર.

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા લોકોને આકર્ષવા માટે અનેક સભાઓ તેમજ અલગ-અલગ પ્રકારના પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકાંઠા બેઠક પોતાના હસ્તક કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સભાનું આયોજન સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના સરહદી વિસ્તાર પાસે આવેલા આમોદરા ગામ ખાતે કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: આજે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

આમોદરા ગામના સરકારી પડતર જગ્યા પર આ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સભામંડપ તેજ પાર્કિંગ તેમજ તમામ પ્રકારની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ટોપી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા સુરક્ષા બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યું છે. મોટી સંખ્યા સભાસ્થળે આવવાની હોવાની 25 હજારથી વધુ લોકોની બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ પૂર્વ સહિતની લોકસભાને બેઠકનું પ્રધાનમંત્રી દ્વારા સભા સંબોધવામાં આવશે, તેમજ ગાંધીનગર રેન્જના તમામ પોલીસ કર્મીઓ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સભાસ્થળે 25 હજારથી વધુ લોકોની બેઠક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

આજે તંત્ર દ્વારા રિયલ સરકારી કોઈપણ જાતનું ઘટના ના સર્જાય જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આજે ગુજરાત સ્થાપના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સ્થાનિકોને સંબોધન કરશે.

પીએમ મોદીનો આજનો કાર્યક્રમ
બનાસકાંઠાના ડીસામાં બપોરે 3:30 વાગે જાહેર સભાને કરશે સંબોધન
સાંજે 5.30 કલાકે હિંમતનગરમાં કરશે જનસભા
13 લોકસભા બેઠક પર મોદીના પ્રચારની થશે અસર