May 18, 2024

પાટણમાં સિદ્ધિ સરોવરમાં કૂદી યુવકનો આપઘાત, કારણ અકબંધ

patan siddhi sarovar youth suicide four day missing

પોલીસે યુવકનો મૃતદેહ બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી

પાટણઃ શહેરમાં વધુ એક આત્મહત્યાનો બનાવ બન્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે સિદ્ધિ સરોવરમાં એક યુવકે મોતની છલાંગ લગાવી છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે, પાટણના સિદ્ધિ સરોવરમાં અગમ્ય કારણોસર યુવકે સરોવરમાં કૂદીને આપઘાત કર્યો છે. છેલ્લા ચારેક દિવસથી યુવક ગુમ હતો. ત્યારે પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જેમાં સિદ્ધિ સરોવરના પાણીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.

આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પાણીમાંથી મૃતદેહને બહાર કાઢ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, સિદ્ધિ સરોવરમાં કૂદકો મારીને આપઘાત કરવાની આ પહેલી ઘટના નથી. આ પહેલાં પણ અનેક લોકોએ આ રીતે આત્મહત્યા કરી છે. તેને લઈને પાટણવાસીઓએ તંત્રને સિદ્ધિ સરોવર બહાર પહેરો મૂકવામાં આવે તેવી માગ કરી છે.

સુરતમાં મોડલનો આપઘાત
સુરતના વેસુ વિસ્તારમાં પણ એક મોડેલે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મોડેલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, મોડેલે પ્રેમંસંબંધને કારણે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. આપઘાત કરતી સમયે મોડેલ તાન્યાના કાન પર હેડફોન લગાવેલા હતા. ઉલ્લેખનીય છે. મોડેલ તાન્યાનો પ્રેમસંબંધ IPL ક્રિકેટર અભિષેક શર્મા સાથે હોવાની શક્યતા બતાવવામાં આવી રહી છે.