July 1, 2024

પંકજ ઉધાસ રાજકોટના ચારણ પરિવારમાં જનમ્યા, 2006માં પદ્મશ્રી મળ્યો

Pankaj udhas borned in rajkot charan family 2006 padma shree award

વર્ષ 2006માં પંકજ ઉધાસને પદ્મ શ્રી મળ્યો હતો

અમદાવાદઃ પંકજ ઉધાસનો જન્મ ગુજરાતના રાજકોટ પાસે આવેલા જેતપુર ગામમાં થયો હતો. તેઓ ચારણ(ગઢવી) પરિવારમાં જન્મયા હતા. તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે. તેમના પિતાનું નામ કેશુભાઈ ઉધાસ અને માતાનું નામ જીતુબેન છે. તેમના બંને મોટા ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ પ્રખ્યાત ગઝલ ગાયક છે. તેમનો પ્રારંભિક અભ્યાસ ભાવનગરમાં કર્યા પછી પરિવાર મુંબઈમાં સ્થાયી થતાં તેમણે આગળનો અભ્યાસ મુંબઈની સેન્ટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો.

પંકજ ઉધાસનો પરિવાર રાજકોટ નજીકના ચરખાડી ગામનો વતની હતો. તેઓ જમીનદાર હતા. તેમના દાદા ગામના પહેલા સ્નાતક હતા અને ભાવનગર રાજ્યના મહેસૂલ મંત્રી (દિવાન) બન્યા હતા. તેમના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી નોકરી કરતા હતા અને તેઓ જાણીતા વીણાવાદક અબ્દુલ કરીમ ખાનને મળ્યા હતા, જેમણે તેમને દિલરૂબા વગાડતા શીખવ્યું હતું. પંકજ ઉધાસ નાના હતા ત્યારે તેમના પિતા તેમને દિલરૂબા (એક તારવાળું વાદ્ય) વગાડતા શીખવતા હતા.

તેમની સંગીત પ્રત્યેની રુચિ જોઈને તેમના પિતાએ રાજકોટની સંગીત એકેડમીમાં મૂક્યા હતા. ઉધાસે શરૂઆતમાં તબલા શીખવાથી શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં તેમણે ગુલામ કાદિર ખાન સાહેબ પાસેથી હિન્દુસ્તાની ગાયક શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. ત્યારપછી ઉધાસ ગ્વાલિયર ઘરાનાના ગાયક નવરંગ નાગપુરકરના તાલિમ હેઠળ તાલીમ લેવા મુંબઈ ગયા હતા.

લાઇવ કોન્સર્ટે તેમને પ્રસિદ્ધિ અપાવી
પંકજ ઉધાસ હિન્દી સિનેમા અને ભારતીય પોપ ગાયકીમાં તેમના કામ માટે જાણીતા હતા. તેમણે 1980માં ‘આહત’ નામના ગઝલ આલ્બમના પ્રકાશન સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1981માં મુકાર, 1982માં તરન્નમ, 1983માં મહેફિલ, 1984માં રોયલ આલ્બર્ટ હોલમાં પંકજ ઉધાસ લાઈવ, 1984માં નયાબ અને 1988માં ફ્રી જેવી ઘણી હિટ ગીતો રેકોર્ડ કર્યા હતા. વર્ષ 1986માં તેમના ગીત ‘ચિઠ્ઠી આઈ હૈ’થી તેમને પ્રસિદ્ધિ મળી હતી. ત્યારબાદ તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં બ્લેબેક સિંગર તરીકે કામ કર્યું હતું. વિશ્વભરમાં આલ્બમ્સ અને લાઇવ કોન્સર્ટે તેમને ગાયક તરીકે ખ્યાતિ અપાવી હતી. વર્ષ 2006માં પંકજ ઉધાસને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.

વર્ષ 2006માં પદ્મ શ્રી મળ્યો
પંકજ ઉધાસનો ભારતના એક જાણીતા ગાયક કલાકાર છે. તેઓ મોટેભાગે ‘ગઝલ ગાયક’ તરીકે ઓળખાય છે. ભારતીય સંગીત ઉદ્યોગમાં તલત અઝીઝ અને જગજીત સિંહ જેવા અન્ય સંગીતકારો સાથે ગઝલ શૈલીને લોકપ્રિય સંગીતના દાયરામાં લાવવાનું શ્રેય એમને ફાળે પણ જાય છે. પંકજ ઉધાસને ફિલ્મ ‘નામ’માં (૧૯૮૬ ચલચિત્ર) ગાયેલા ગીતને કારણે ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. જેમાં એમનું એક ગીત ‘ચિઠ્ઠી આઈ હૈ’ અત્યંત લોકપ્રિય થયું. ત્યારબાદ એમણે ઘણા બધાં ચલચિત્રો માટે પાર્શ્વ ગાયક તરીકે અવાજ આપ્યો છે. આ ઉપરાંત એમણે ઘણા ગઝલના આલ્બમ પણ રેકોર્ડ કર્યાં છે અને એક કુશળ ગઝલ ગાયકના રૂપમાં આખી દુનિયામાં પોતાની કલાનું પ્રદર્શન કરી ચૂક્યા છે. 2006ના વર્ષમાં પંકજ ઉધાસને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.