News 360
Breaking News

મારે ત્રણ વર્ષનો દીકરો છે, પ્લીઝ મને છોડી દો; પિતાએ આજીજી કરી છતાં આતંકવાદીઓએ ગોળી મારી દીધી

Pahalgam terror attack: બેંગલુરુના એન્જિનિયર ભારત ભૂષણ તેમની પત્ની અને ત્રણ વર્ષના દીકરા સાથે રજાના સપના સાથે પહલગામ આવ્યા હતા. ખુશીથી કાશ્મીર ગયેલા આ માસૂમ લોકોને ખબર નહોતી કે તેમની ખુશી ફક્ત થોડા સમયની મહેમાન છે. આખા દેશને હચમચાવી નાખનાર પહલગામ હુમલામાં, આતંકવાદીઓએ ભારત ભૂષણનો પણ જીવ લીધો હતો. હુમલા દરમિયાન, 35 વર્ષીય ભારત ભૂષણે હાથ જોડીને વિનંતી કરી કે પ્લીઝ મને છોડી દો કારણ કે મારે ત્રણ વર્ષનો દીકરો હતો. પરતું પિતાના આ રુદન આતંકવાદીઓના હૃદય ન પીગળી શક્યા.

માહિતી અનુસાર, ભારતની પત્ની સુજાતાએ જણાવ્યું કે તેઓ 18 એપ્રિલે કાશ્મીર આવ્યા હતા અને મંગળવાર તેમનો છેલ્લો દિવસ હતો. તેઓ ઘોડા પર બેસીને ઘાટીમાં ફરતા હતા, હસતા હતા અને ફોટોગ્રાફી કરતા હતા. ત્યારબાદ અચાનક ગોળીબારનો અવાજ આવ્યો અને થોડી જ વારમાં સશસ્ત્ર આતંકવાદીઓ વિસ્તારમાં ઘૂસી ગયા અને પૂછપરછના બહાને એક પછી એક લોકોને ગોળી મારવા લાગ્યા.

પિતાની ચીસો જોઈને આતંકવાદીઓના હૃદય ન પીગળી શક્યા
આખરે ભારત ભૂષણનો વારો આવ્યો. તેણે હાથ જોડીને આતંકવાદીઓ પાસે દયાની ભીખ માંગી. તેણે કહ્યું, “મારો દીકરો નાનો છે, પ્લીઝ મને છોડી દો.” પરંતુ આતંકવાદીઓએ તેમના માસૂમ પુત્રની સામે જ ભારતની છાતી પર ગોળી મારી દીધી.

ભારત ભૂષણ બેંગલુરુમાં નોકરી કરતા હતા
ભારત કર્ણાટકના બેંગલુરુમાં રહેતા હતા અને ત્યાંની એક આઈટી કંપનીમાં એન્જિનિયર હતા. તેમનો પરિવાર આ આઘાતમાંથી બહાર આવી શકતો નથી. બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાએ મંગળવારે રાત્રે ભારતની પત્ની સુજાતા સાથે વાત કરી હતી. ગુરુવારે ભારતનો મૃતદેહ બેંગલુરુ લાવવામાં આવ્યો હતો.