વક્ફ બિલનો વિરોધ: મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રાષ્ટ્રપતિ મુર્મુને તાત્કાલિક મળવા માટે સમય માંગ્યો

Waqf bill Waqf Board: વકફ સુધારા બિલ સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. જોકે, વિરોધ પક્ષો અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) સહિત અનેક મુસ્લિમ સંગઠનો આ બિલનો સતત વિરોધ કરી રહ્યા છે. શુક્રવારે દેશના ઘણા મોટા શહેરોમાં વક્ફ બિલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા. હવે AIMPLB એ વક્ફ સુધારા કાયદા અંગે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તાત્કાલિક મુલાકાતની માંગ કરી છે.
“Waqf (Amendment) Bill 2025” : A Deplorable Act of Government!
All India Muslim Personal Law Board Will Wage Nation-Wide Stir and Initiate Legal Action!#IndiaAgainstWaqfBill | #RejectWaqfBill | #SayNoToWaqfBill | #WaqfAmendmentBill pic.twitter.com/8F35quLHnH
— All India Muslim Personal Law Board (@AIMPLB_Official) April 4, 2025
AIMPLB બિલ પર ચિંતા વ્યક્ત કરશે
રાષ્ટ્રપતિ બિલને મંજૂરી આપે તે પહેલાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)એ સંસદ દ્વારા પસાર કરાયેલા વક્ફ સુધારા બિલ પર પોતાની ચિંતા વ્યક્ત કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તાત્કાલિક મુલાકાત માટે સમય માગ્યો છે. AIMPLB ના પ્રવક્તા ડૉ. SQR ઇલ્યાસે બોર્ડના મહાસચિવ મૌલાના ફઝલુર રહીમ મુજદ્દાદીએ લખેલા પત્રની સામગ્રી શેર કરી અને લખ્યું- “અધિનિયમ દ્વારા રજૂ કરાયેલા સુધારામાં મહત્વપૂર્ણ ફેરફારો છે જે વકફ સંસ્થાના વહીવટ અને સ્વાયત્તતાને અસર કરે છે, જેમણે ઐતિહાસિક રીતે ધાર્મિક અને સખાવતી પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”
આ મુલાકાતનો હેતુ શું છે?
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પત્રમાં વધુમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિને મળવાનો અમારો હેતુ તાજેતરમાં પસાર થયેલા વકફ (સુધારા) બિલ 2025 અને દેશભરના મુસ્લિમ સમુદાય પર તેની અસરો અંગે અમારી ઊંડી ચિંતા વ્યક્ત કરવાનો છે. બોર્ડે વધુમાં કહ્યું- “આ કાયદો સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને દેશના મુસ્લિમો પર હુમલો છે. અમારું માનવું છે કે કાયદાની જોગવાઈઓ પર ગંભીર પુનર્વિચારની જરૂર છે કારણ કે તે ભારતના બંધારણ હેઠળ ગેરંટી આપવામાં આવેલા મૂળભૂત અધિકારો સાથે અસંગત છે, ખાસ કરીને ધાર્મિક સ્વતંત્રતા, સમાનતા અને ધાર્મિક સંસ્થાઓના રક્ષણના સંબંધમાં.
ઉકેલો પર ચર્ચાની માંગ
AIMPLB એ રાષ્ટ્રપતિ મુર્મુને વિનંતી કરી છે કે તેઓ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અનુકૂળ સમયે વહેલી તકે મુલાકાત આપે જેથી તેમની ચિંતાઓ તેમને જણાવી શકાય અને બંધારણીય માળખામાં શક્ય ઉકેલોની ચર્ચા કરી શકાય.