September 17, 2024

ગર્લફ્રેન્ડ સાથે આવેલા નિખિલ પટેલની વધી મુશ્કેલી, મુંબઈ પોલીસે નોંધી FIR

મુંબઈ: ટીવી અભિનેત્રી દલજીત કૌર છેલ્લા કેટલાક સમયથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા દલજીત તેના બીજા પતિનું ઘર છોડીને મુંબઈ આવી ગઈ હતી. દલજીતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકોને જાણ કરી હતી કે નિખિલ પટેલ સાથે તેના લગ્ન જીવનમાં વસ્તુઓ સારી નથી ચાલી રહી. તેણે તેના પતિ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો હતો. આ બધાની વચ્ચે નિખિલ પટેલ ઓગસ્ટ મહિનામાં તેની અફવાવાળી ગર્લફ્રેન્ડ સાથે જન્મદિવસ ઉજવવા મુંબઈ આવ્યો છે.

દલજીત કૌરે નિખિલ પટેલ વિરુદ્ધ FIR દાખલ કરી હતી
પત્ની દલજીત કૌરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે જન્મદિવસ મનાવવા મુંબઈ આવેલા નિખિલ પટેલ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં FIR નોંધાવી છે. એક અહેવાલ મુજબ, અભિનેત્રીએ 2 ઓગસ્ટે મુંબઈના આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 85 અને કલમ 316 (2) હેઠળ નિખિલ વિરુદ્ધ FIR નોંધાવી છે. તમને જણાવી દઈએ કે, કલમ 85 હેઠળ જો કોઈ મહિલા તેના પતિ અથવા સાસરિયાઓ દ્વારા ક્રૂરતાનો શિકાર બને છે તો તેને 3 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. કલમ 316 (2) છેતરપિંડી માટે સજાની જોગવાઈ કરે છે.

આ પણ વાંચો: 113 રૂપિયામાં મળતું હતું 11.66 ગ્રામ સોનુ, વાયરલ થઈ રહ્યું છે 1959નું બિલ

દલજીતે આ સ્ટોરી ઈન્સ્ટા પર પોસ્ટ કરી હતી
FIR દાખલ કર્યા બાદ દલજીતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. દલજીતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મુંબઈ પોલીસ અધિકારીઓ અને લેડી કોન્સ્ટેબલોનો આભાર માન્યો છે. તેણે લખ્યું, “એક મહિલાને જણાવવા માટે AGRIPDA પોલીસનો આભાર કે તે તેના પોતાના દેશમાં સુરક્ષિત છે.

તમને જણાવી દઈએ કે દલજીત અને નિખિલ પટેલના આ બીજા લગ્ન હતા. આ લગ્ન પહેલા દલજીત ટીવી એક્ટર શાલીન ભનૌત સાથે પરિણીત સંબંધમાં હતા. વર્ષ 2015માં તેણે શાલિન ભનૌતથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. શાલીન અને દલજીતને એક પુત્ર પણ છે જે તેની માતા દલજીત સાથે રહે છે.