September 18, 2024

નરેન્દ્ર મોદી આજથી ગુજરાત પ્રવાસે, જાણો પળેપળનો કાર્યક્રમ

ગાંધીનગરઃ PM નરેન્દ્ર મોદી આજથી ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્રીજીવાર PM બન્યા બાદ મોદી પ્રથમવાર વતનમાં આવ્યા છે. ત્યારે આજે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. આવો જાણીએ તેમનો સમગ્ર કાર્યક્રમ…

બપોરે 2 વાગ્યે ઝારખંડથી અમદાવાદ આવવા રવાના થશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. સાંજે 4.10 વાગ્યે વડાપ્રધાન એરપોર્ટથી રાજભવન જવા રવાના થશે. સાંજે 4.20 વાગ્યે રાજભવન પહોંચશે અને ત્યાં જ રાત્રિરોકાણ કરશે.

ત્યારબાદ 16મી સપ્ટેમ્બરના દિવસે સવારે 9.30 વાગ્યે રાજભવનથી રવાના થશે. ત્યારપછી 9.40થી 10.30 સુધી વાવોલ સાલીન 2 સોસાયટી ખાતે જશે. ત્યાં સૂર્યઘર યોજનાના પગલે અરજદારના ઘરે રહેશે. સવારે 10.40 વાગ્યે વડાપ્રધાન મહાત્મા મંદિર ખાતે પહોંચશે. ત્યાં રિઇન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જી કાર્યકમનો આરંભ કરશે.

બપોરે 12 વાગ્યે PM મહાત્મા મંદિરથી રાજભવન તરફ જશે. બપોરે 12 વાગ્યાથી 1.40 સુધી વડાપ્રધાન રાજભવનમાં રોકાશે. બપોરે 1.40 વાગ્યે વડાપ્રધાન સેકટર-1 ખાતે મેટ્રો ટ્રેન સેવાનો આરંભ કરશે. બપોરે 1.40થી 2.40 મેટ્રો ટ્રેનનું લોકાર્પણ સહિત કામગીરી અને રૂટનું નિરીક્ષણ કરશે. બપોરે 3 વાગ્યે ગિફ્ટ સીટીથી PM મેટ્રોમાં બેસીને GMDC ખાતે જશે. 3.30 વાગ્યે વડાપ્રધાન GMDC ખાતે કાર્યકમમાં હાજરી આપશે. બપોરે 3.30થી 16.45 સુધી GMDC ખાતે વિવિધ લોકાર્પણના કામોમાં હાજરી આપશે. સાંજે 5.30 વાગ્યે રાજભવન ખાતે પહોંચી રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 8.15 વાગ્યે રાજભવનથી અમદાવાદ એરપોર્ટ જશે. ત્યાંથી ઓરિસ્સા જવા માટે રવાના થશે.