July 7, 2024

સ્વર્ગને ટક્કર મારે એવા છે આ સ્થળ, ચોમાસામાં દિલ બાગ બાગ થઈ જશે

Gujarat Travel Destination: ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી દીધી છે. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ચોમાસું આવતાની સાથે લોકોને ફરવા જવાનું મન થતું હોય છે. ત્યારે આજે તમને જણાવીશું ગુજરાતના 4 સ્થળો વિશે જ્યાં તમે ફરી શકો છો.

ડોન હિલ સ્ટેશન

ગુજરાતમાં હિલ સ્ટેશનની વાત આવો તો સાપુતારાનું નામ પહેલા આવે છે. પરંતુ ઘણા લોકોને ડોન હિલ સ્ટેશન વિશે માહિતી નહીં હોય. આ સ્થળ પણ સ્વર્ગથી કોઈ કમ નથી. આ સ્થળ અમદાવાદથી 400 કિમીના અંતરે આવેલું છે. અહિંયાનું વાતાવરણ ચોમાસામાં સ્વર્ગથી ઓછું લાગતું નથી. ડોન હિલ સ્ટેશન ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. સાપુતારાથી પણ ખુબ નજીક લગભગ 17 કિમી જ દૂર છે.

તારંગા

તમને ચોમાસા દરમિયાન ફરવા જવું છે તો ગુજરાતમાં આવેલા મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલી આ ટેકરી તારંગાની તમે મુલાકાત લઈ શકો છો. તમને જણાવી દઈએ કે આ પર્વતમાળાનો ભાગ છે. અમદાવાદથી 140 કિમી દૂર આવેલું તારંગામાં જૈન મંદિર આવેલા છે. જેના કારણે જૈન મંદિર માટે પણ આ તારંગા ઓળખાય છે. ચોમાસા દરમિયાન અહિંયાનું વાતાવરણ મજા પડી જાય તેવું છે. તમને મુલાકાત લઈ શકો છો.

ધરમપુર

ધરમપુર દક્ષિણ ગુજરાતના વલસાડમાં આવેલું છે. અહિંયાનું કુદરતી સૌંદર્ય તમને પાગલ ચોક્કસ કરી દેશે. ધરમપુરમાં જ વિલ્સન હિલ્સ આવેલું છે. ચોમાસામાં કુદરતનો અદભૂત નજારો આ સ્થળ પર જોવા મળે છે. અહિંયા લોકો રાજાનો મહેલ, બજોડીયા-માવલી ધોધ હુમાળ શિવમંદિરની મુલાકાત લેવા પણ આવે છે.

ચાંપાનેર

ચાંપાનેર પાવાગઢની તળેટીમાં આવેલું ઐતિહાસિક સ્થળ છે. જો તમે ચોમાસા દરમિયાન ગુજરાતમાં સારા સ્થળની શોધમાં છો તો આ સ્થળ તમારા માટે બેસ્ટ છે. તમને જણાવી દઈએ કે આ સ્થળ યાત્રાધામ પાવાગઢથી ખુબ નજીક છે. આજૂબાજૂમાં ચોમાસા દરમિયાન અહિંયા હરિયાળી ખુબ જોવા મળે છે. અહીં જાંબુઘોડા અભ્યારણ્ય ખુબ નજીક પડે છે.

આ પણ વાંચો: Curry Leaves Benefits: ચમકતી ત્વચા-સ્વસ્થ વાળ સાથે આ છે મીઠા લીમડાનાં ફાયદા