May 20, 2024

મુફ્તી સલમાન અઝહરી મુદ્દે MLA ઈમરાન ખેડાવાલાનું મોટું નિવેદન, કહ્યું; ‘મૌલાનાના નિવેદને…’ 

IMRAN - NEWSCAPITAL

જૂનાગઢમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા બદલ ઈસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત પોલીસે અટકાયત કરી હતી. થોડા દિવસો પહેલા જૂનાગઢમાં આપેલા તેમના ભાષણ બાદ ગુજરાત પોલીસે મુસ્લિમ મૌલાના અને અન્ય બે લોકો સામે FIR નોંધી હતી. પોલીસે રવિવારે સાંજે મુફ્તી સલમાન અઝહરીને ઝડપી લીધો હતો. મુફ્તી સલમાન અઝહરીને મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકોના ટોળાએ બહારથી પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. ભડકાઉ ભાષણ કરનાર મૌલાનાને ATS દ્વારા આજે ગુજરાત લાવવામાં આવ્યો છે. MUFTI - NEWSCAPITALમૌલાનાના નિવેદને સખત શબ્દોમા વખોડુ છું – ઈમરાન ખેડાવાલા

મૌલાના મુદ્દે કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ નિવેદન આપતા કહ્યું કે, સમગ્ર મામલા અંગે પેપર અને ન્યૂઝમાં મે જોયુ હતુ. મૌલાના તરફથી જાહેરમા જે વાત કરવામાં આવી તે યોગ્ય નથી. વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાત અને દેશની અંદર લોકો એકતા અને શાંતિથી રહે છે. મૌલાના હોય કે મહંત હોય, આવા જાહેરમાં નિવેદન ન આપવા જોઈએ. હું મૌલાનાના નિવેદને સખત શબ્દોમા વખોડુ છું. દેશમા બધા લોકો શાંતિ અને સલામતીથી રહે છે. દેશની શાંતિ ડહોળાય તેવા પ્રયત્નો ન કરાવા જોઈએ.

આ પણ વાંચો : ગુજરાત પોલીસે મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી અટકાયત કરી

શું છે સમગ્ર મામલો ?

ઉલ્લેખનીય છે કે, 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં એક કાર્યક્રમ દરમિયાન મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે મૌલાના મુફ્તી સલમાન, ઈવેન્ટ આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153B અને 505(2) હેઠળ FIR નોંધી હતી. પોલીસના જણાવ્યું હતું કે, બંનેએ કાર્યક્રમ માટે તેમની પરવાનગી માંગી હતી અને કહ્યું હતું કે, અઝહરીનું સંબોધન ધર્મ અને વ્યસન મુક્તિ વિશે જાગૃતિ ફેલાવવાનું હશે. જ્યારે વાયરલ વીડિયોમાં મૌલાનાને એમ કહેતા સાંભળી શકાય છે કે, કરબલાની છેલ્લી લડાઈ હજુ બાકી છે. આજે *##@ નો સમય છે, કાલે આપણો વારો આવશે.