May 19, 2024

મિથુન ચક્રવર્તી ICU માંથી બહાર, જાણો કેવી છે હવે તબિયત?

Mithun Chakraborty

Mithun Chakraborty Health Update: અભિનેતા મિથુન ચક્રવર્તી ગઈકાલે અચાનક છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇસ્કેમિક સેરેબ્રોવેસ્ક્યુલર બ્લોકેજથી પીડિત થયાના એક દિવસ પછી, અભિનેતામાંથી રાજકારણી બનેલા મિથુન ચક્રવર્તીની તબિયત હાલ સારી છે અને હવે તે ICUમાંથી બહાર છે. અભિનેત્રી દેબાશ્રી રોય અભિનેતા મિથુન ચક્રવર્તીને મળવા હોસ્પિટલમાં ગયા હતા, ત્યારબાદ તેમણે અભિનેતાની હેલ્થ અપડેટ શેર કરી હતી.

દેબાશ્રી રોયે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “હું મિથુનને હોસ્પિટલમાં પણ મળી હતી. તે હવે સ્વસ્થ છે, તેમને સમયસર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને તેમનું શુગર લેવલ નીચે આવ્યું છે. તે એકદમ અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા, પરંતુ હવે તે ICUમાંથી બહાર છે અને સામાન્ય રૂમમાં આરામ કરી રહ્યા છે.

ફિલ્મ પ્રોડ્યુસર પથિકૃત બાસુએ પણ હેલ્થ અપડેટ આપ્યું હતું

ફિલ્મ નિર્માતા પથિકૃત બસુએ કહ્યું, “સારું, હું તમને કહી દઉં કે હું હમણાં જ હોસ્પિટલમાંથી આવ્યો છું. હું તેમને મળ્યો અને તે સ્વસ્થ છે. મિથુન દાએ એમ પણ કહ્યું છે કે તે થોડા દિવસો પછી ફરી શૂટિંગ શરૂ કરશે. જ્યારે તે સેટ પર પાછા આવશે ત્યારે તે શું કરશે તે અંગે તેણે વાત કરી છે.

મિથુનને 10 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

તમને જણાવી દઈએ કે, 10 ફેબ્રુઆરી, શનિવારે મિથુન ચક્રવર્તીને ઈમરજન્સીમાં કોલકાતાની એપોલો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડોકટરોની ટીમે ઇસ્કેમિક સેરેબ્રોવેસ્ક્યુલર બ્લોકેજ વિશે માહિતી આપી હતી. ત્યારપછી તબીબોએ પોતે જ તેમની હાલત સ્થિર હોવાની માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે સરળ શબ્દોમાં ઇસ્કેમિક સેરેબ્રોવેસ્ક્યુલર બ્લોકેજનો અર્થ થાય છે થ્રોમ્બસ અથવા લોહીના ગંઠાઈ જઇ મગજ તરફ જતી ધમનીનું અવરોધ અથવા બંધ થવું.

મિથુનને તાજેતરમાં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા

અભિનેતા મિથુન ચક્રવર્તીને તાજેતરમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ અંગે તેમનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, “ખૂબ સંઘર્ષ અને મહેનત પછી આખરે મને આટલું સન્માન મળ્યું છે. આ એક એવી લાગણી છે જેને હું વ્યક્ત કરી શકતો નથી. હું આ ભારત અને વિદેશમાં મારા તમામ ચાહકોને સમર્પિત કરું છું જેમણે મને અઢળક પ્રેમ કર્યો છે.