September 12, 2024

ઈરાકમાં ભયાનક બસ અકસ્માત, 28 પાકિસ્તાનીઓના મોત; 23 ઘાયલ 14ની હાલત ગંભીર

Iraq: દર વર્ષે ઘણા શિયા યાત્રીઓ પાકિસ્તાનથી ઈરાક જાય છે. પરંતુ 20 ઓગસ્ટની રાત્રે ઈરાકના યઝદમાં ઈરાક જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માત સમયે આ બસમાં 51 લોકો મુસાફરી કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારી મોહમ્મદ અલી મલેકઝાદેહે જણાવ્યું કે આ દુર્ઘટના મંગળવારે રાત્રે ઈરાનના પ્રાંત યઝદમાં થઈ હતી. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં 23 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 14 લોકોની હાલત ગંભીર છે.

અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઈરાનના માર્ગ સલામતી મુદ્દાઓ સારી રીતે દસ્તાવેજીકૃત છે. ટ્રાફિકના નિયમોના નબળા પાલન અને અસુરક્ષિત વાહનોના કારણે દેશમાં દર વર્ષે આવી 17,000 થી વધુ ઘટનાઓ બને છે. 20 ઓગસ્ટની ઘટનાના બીજા દિવસે બુધવારે સવારે સિસ્તાન અને બલુચિસ્તાનમાં અન્ય બસ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા અને 18 લોકો ઘાયલ થયા હતા. હવે બંને અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.

દર વર્ષે ઘણા મુસ્લિમો આ તીર્થયાત્રા માટે જાય છે. આમાં માત્ર પાકિસ્તાનથી જ નહીં પરંતુ અન્ય ઘણા દેશોમાંથી પણ લોકો ત્યાં જાય છે. શિયા મુસ્લિમો ખાસ કરીને ઈરાક જાય છે. જે લોકો આ યાત્રા કરે છે તેમને અરબાઈન કહેવામાં આવે છે, જે તેમના માટે વિશેષ મહત્વ ધરાવે છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, આ યાત્રા મોહરમના દસમા દિવસે અને આશુરાના ચાલીસ દિવસ પછી થાય છે. આ દિવસે શિયા મુસ્લિમો કરબલાના યુદ્ધમાં પયગંબર મોહમ્મદના પૌત્ર અને ઇમામ હુસૈનની શહાદતને યાદ કરે છે.

આ પણ વાંચો: પથ્થરમારો… ટ્રેન રોકી ચારેકોર તોફાન, બદલાપુર યૌન શોષણ મામલે 300 પ્રદર્શનકારીઓ વિરુદ્ધ નોંધ્યો કેસ

50 હજાર લોકો ગુમ
દુનિયાભરમાંથી હજયાત્રા માટે ઈરાકના કરબલા પહોંચનારા શિયા મુસ્લિમોની સંખ્યા કરોડોમાં છે. વિવિધ દેશોમાંથી લોકો અહીં પહોંચે છે. પાકિસ્તાનથી પણ લોકો દર વર્ષે આ તીર્થયાત્રા માટે જાય છે. પરંતુ થોડા દિવસો પહેલા એવી માહિતી સામે આવી હતી કે પાકિસ્તાનથી ઇરાક યાત્રા માટે ગયેલા 50 હજાર જેટલા શ્રદ્ધાળુઓ અચાનક ગાયબ થઇ ગયા હતા. રિપોર્ટ અનુસાર, આ જાણકારી પાકિસ્તાન સરકારના ધાર્મિક બાબતોના મંત્રી ચૌધરી સાલિક હુસૈને પોતે આપી હતી.