May 13, 2024

ગુજરાતની આ 5 લોકસભા સીટ માટે BJPએ સખત સંઘર્ષ કરવો પડશે, જાણો કેમ

અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણીની વાત મોદીથી શરૂ થાય છે અને તેમની સાથે જ પૂરી થાય છે. અહીં ચૂંટણીનું ગણિત પણ મોદી પર નિર્ભર હોય છે. એટલું જ નહીં, ચૂંટણીનો અર્થ, મુદ્દો અને દાવેદાર તમામ મોદી છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર 7 મેના રોજ ચૂંટણી યોજાશે. 400ને પાર કરવાનું બ્યૂગલ ફૂંકનાર ભાજપ માટે ગુજરાતના 40 ડિગ્રી તાપમાનમાં 26 બેઠકો પર લોકોને બૂથ પર લાવવાનો સૌથી મોટો પડકાર હશે. વધુ મતદાન એટલે મોટી જીત. ગુજરાતમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 64.5 ટકા, 2014માં 63.6 ટકા, 2009માં 47.9 ટકા મતદાન થયું હતું. જ્યારે વધુ મતદાન થતાં પરિણામ ભાજપની તરફેણમાં આવ્યું હતું.

છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યું છે. આ વખતે પણ તમામ બેઠકો પર ભાજપ મજબૂત છે. આ વખતે પાર્ટીએ ટોચની 18 બેઠકો 2 લાખથી વધુના માર્જિનથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. બાકીની 12 સીટો પર જ્યાં ગત વખતે 75 હજાર-1.5 લાખનો તફાવત હતો તે વધારીને ઓછામાં ઓછો 2-3 લાખ કરવો પડશે. નવસારીમાં સીઆર પાટીલનો 8 લાખના માર્જિનથી અને અમિત શાહની ગાંધીનગર બેઠક પર 10 લાખના માર્જિનથી વિજય સુનિશ્ચિત કરવાનો પણ ઠરાવ છે. ગત વખતે સીઆર પાટીલ 6.89 લાખ મતોથી જીત્યા હતા, જે દેશનો સૌથી મોટો વિજય માર્જિન હતો.

ગુજરાતમાં ભાજપ માટે હિન્દુત્વની સૌથી મોટી પ્રયોગશાળા છે. અહીંની 88 ટકા વસ્તી હિન્દુ છે. ગાંધીનગરથી અમદાવાદ, રાજકોટથી જામનગર અને વડોદરાથી ભરૂચ સુધીના રસ્તાઓ પર ચૂંટણી પોસ્ટરોની સંખ્યા રામ મંદિરના અભિષેકને સમર્પિત પોસ્ટરોની સંખ્યા કરતાં વધુ છે. જો આપણે રાજકારણના અલ્ગોરિધમને સમજીએ તો, ભાજપને હિન્દુત્વને લગતા દરેક મુદ્દાનો મહત્તમ ચૂંટણી લાભ મળ્યો છે. આ જ કારણ છે કે, પાર્ટીને માત્ર ગુજરાતાં જ નહીં યુપીમાં જે ફાયદો મળી શકે છે તેના કરતા અહીં રામમંદિરથી વધુ ફાયદો મળવાની આશા છે.

રાજ્યમાં ભાજપની જાહેરાત બાદ ઉમેદવારો બદલવા પડ્યા છે. આ બેઠકો બરોડા અને સાંબરકાંઠા છે. રંજનબેન ભટ્ટને બરોડામાંથી ટિકિટ મળી હતી. રંજનબેન ભટ્ટ બે વખત સાંસદ રહી ચૂક્યા છે. પરંતુ વિરોધ એટલો ઉગ્ર હતો કે તેમની ટિકિટ પાછી ખેંચી લેવામાં આવી હતી. એવું પણ કહેવાયું હતું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સાંબરકાંઠામાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. પરંતુ, વિરોધના બહાને ટિકિટ બદલવી પડી હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રાજકીય કલ્ચરનો આ એક ભાગ માનવામાં આવે છે. ચાર મહિનામાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. જ્યારે અમરેલી અને સુરેન્દ્રનગરમાં ભાજપના મોટા નેતાને બદલે નાના નેતાને ટિકિટ આપવાને લઈને પક્ષના કાર્યકરોમાં ભાગલા પડ્યા છે અને પડકારો વધ્યાં છે.

પાંચ બેઠકો ભાજપ માટે પડકારરૂપ બની હતી

ભરૂચ: આ બેઠક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પરંપરાગત બેઠક રહી છે. આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટની વહેંચણીમાં તે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. અહીં કોંગ્રેસીઓ ઈચ્છતા હતા કે, ટિકિટ અહેમદ પટેલના પરિવારમાંથી કોઈને જાય. AAP પાર્ટીએ ચૈતર વસાવાને ટિકિટ આપી છે અને તેમના હરીફ 6 વખત ભાજપના સાંસદ મનસુખ વસાવા છે. ચેતન વસાવા આદિવાસીઓમાં સારી પકડ ધરાવે છે. કોંગ્રેસ સાથે ગઠબંધન ન હતું, ત્યારે પણ આમ આદમી પાર્ટીએ તેમના નામની જાહેરાત કરી હતી.

રાજકોટઃ કેન્દ્રીય મંત્રી રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદન બાદ શરૂ થયેલા વિવાદની અસર માત્ર ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના શહેરોમાં મોટા દેખાવો અને સંમેલનો યોજાયા છે. પરંતુ ક્ષત્રિયોના મતો પર કેટલી અસર પડશે તેનું ગણિત હજુ સ્પષ્ટ થયું નથી. જો કે, રૂપાલાએ આ નિવેદન બદલ માફી માંગી છે. એમ પણ કહ્યું કે, ‘મારાથી ભૂલ થઈ છે. તમારો ગુસ્સો પીએમ મોદી પર ન કાઢો.’ તો બીજી તરફ, આ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આ વિસ્તારની સૌથી મોટી વોટબેન્ક ધરાવતા લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે.

ભાવનગરઃ સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ હોવા છતાં આ બેઠક પર ભાજપની મુશ્કેલીમાં વધારો કરવાના બે મોટા કારણો છે. કોંગ્રેસ સાથે સમજૂતી કરીને આમ આદમી પાર્ટીએ અહીંથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. બીજું, રૂપાલા અંગે ક્ષત્રિયો વચ્ચેના વિવાદની સીધી અસર ભાવનગર પર પડી શકે છે.

બનાસકાંઠાઃ અહીં બે મહિલાઓ વચ્ચે સત્તાનો સંગ્રામ જામ્યો છે. કોંગ્રેસના ગેનીબેન ચૂંટણી લડી રહ્યા છે, તો ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી છે. ગેનીબેન એક શક્તિશાળી નેતાની છબી ધરાવે છે અને તેમના સ્થાનિક સંપર્કો ખૂબ જ મજબૂત છે. જ્યારે રેખા ચૌધરી બનાસ ડેરી શરૂ કરનારા પરિવારમાંથી આવે છે. ગેનીબેનની સ્ટાઈલ ખૂબ ચર્ચામાં છે. તે ટ્રેક્ટર પર બેસીને ઉમેદવારી નોંધાવવા ગયા હતી. તેમણે હંમેશા લાજ કાઢીને સ્ટેજ પરથી ભાષણ આપવા અને કેટલીકવાર તેમની આંખો ભીની થઈ ગઈ હોય તેવું પણ જોવા મળ્યું છે. તેઓ બેવાર ધારાસભ્ય રહી ચૂક્યાં છે.

જૂનાગઢ: જૂનાગઢને લઈને ઉમેદવારનો વિરોધ જોરદાર છે. અહીંથી ભાજપે રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે. ડૉક્ટરની હત્યા સાથે જોડાયેલા મામલે તેમના સંબંધમાં ખૂબ ચર્ચામાં છે.