July 3, 2024

Kanchanjunga Express: ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 પર પહોંચ્યો, રેલવે મંત્રીએ દરેકને 10 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી

Kanchanjungha Express Accident: પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી નજીક સ્થિત રંગપાની સ્ટેશન પર સોમવારે (17 જૂન) સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 60 જેટલા લોકો ઘાયલ થયા છે. કંચનજંગા એક્સપ્રેસ અગરતલા (ત્રિપુરા) થી ચાલે છે અને સિયાલદહ (પશ્ચિમ બંગાળ) જાય છે. માહિતી અનુસાર, આ અકસ્માત સવારે 9.30 વાગ્યે થયો હતો. જલપાઈગુડી સ્ટેશન નજીક એક માલસામાન ટ્રેન નંબર 13174 કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કંચનજંગા એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ત્યારબાદ NDRF, SDRF અને સ્થાનિક પોલીસની તમામ ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે, ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

મમતા બેનર્જી ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી જલપાઈગુડીમાં ઘટના સ્થળની મુલાકાત લેશે અને બચાવ કામગીરીની સમીક્ષા કરશે.

રેલવેએ 10 લાખ રૂપિયાના આર્થિક વળતરની જાહેરાત કરી
રેલ્વેએ જલપાઈગુડી ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયા અને ઓછા ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને આ જાણકારી આપી.

મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, પશ્ચિમ બંગાળના રંગપાની સ્ટેશન પાસે ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 પર પહોંચી ગયો છે. જ્યારે 60 લોકો ઘાયલ થયા છે. રેલવે બોર્ડના અધ્યક્ષે કહ્યું કે માલગાડીએ પાછળથી કાંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી. શરૂઆતમાં ગુડ્સ ટ્રેનની ખામી સામે આવી છે. કંચનજંગાના 4 કોચ (1 ગાર્ડ, 2 પાર્સલ અને 1 પેસેન્જર બોગી) પાટા પરથી ઉતરી ગયા. ઘાયલોને સિલીગુડીમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત ટ્રેન આવી છે. તમામ સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક ગોઠવવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 3 રેલવે સ્ટાફ સહિત 8 લોકોના મોત થયા છે.