September 8, 2024

IPL 2025: BCCI અને IPL માલિકોની 31 જુલાઈએ બેઠક

IPL 2025: બીસીસીઆઈ આઈપીએલ 2025 માટે 31 જુલાઈએ ફ્રેન્ચાઈઝી સાથે બેઠક કરશે. આ બેઠકમાં ઘણી ચર્ચાઓ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક દરમિયાન રીટેન્શન નિયમો પર ચર્ચા થઈ શકે છે.

જાળવી રાખવાની માંગ
એક રિપોટમાં જણાવ્યા અનુસાર BCCI 31 જુલાઈએ ફ્રેન્ચાઈઝી સાથે બેઠક કરી શકે છે. બેઠક માટે સ્થળની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અંદાજે આ બેઠકનું આયોજન મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સંકુલમાં થઈ શકે છે. આઈપીએલની ટીમો લગભગ 8 ખેલાડીઓને જાળવી રાખવાની માંગ કરી રહી છે. રાઈટ ટુ મેચ (RTM) કાર્ડ એક વિવાદાસ્પદ મુદ્દો છે. આ અંગે બેઠકમાં વિગતવાર ચર્ચા થઈ શકે છે. બીસીસીઆઈએ સૌથી પહેલા આઈપીએલ 2018માં આરટીએમ કાર્ડ રજૂ કર્યું હતું, જોકે, 2021ની મેગા ઓક્શનમાં આવી કોઈ જોગવાઈ નહોતી.

આ પણ વાંચો: India W VS Pakistan W મેચમાં પીચ આવી હશે, મહામુકાબલાનું કાઉન્ટડાઉન શરૂ

ઈન્ડિયન પ્રીમિયર લીગની મેગા હરાજી
આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેગા હરાજી થવાની છે. ફ્રેન્ચાઇઝીસ પાસે ખેલાડીઓને જાળવી રાખવાના વિકલ્પો ચોક્કસ હશે. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા અને કેએલ રાહુલને તેમની વર્તમાન IPL ટીમો દ્વારા રિટેન કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં આ ખેલાડીઓને નવી ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આ વખતે IPLમાં ખેલાડીઓની હરાજી થશે. કહેવામાં આવી રહ્યું છે કે IPLની ઘણી ફ્રેન્ચાઈઝી નવા કેપ્ટન બનાવવા પર વિચાર કરી રહી છે. જેમાં રોહિત અને સૂર્યકુમાર યાદવ પર ચર્ચા થઈ શકે છે.