ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં પોતાની તાકાત બતાવી, એન્ટી-શિપ મિસાઈલ કરી લોન્ચ

Indian Navy: ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં અનેક એન્ટી-શિપ મિસાઇલોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. જે તેમની લાંબા અંતરની ચોકસાઇવાળી ક્ષમતા અને લડાયક તૈયારીઓનું પ્રદર્શન કરે છે. નૌકાદળે જણાવ્યું હતું કે, આ કવાયત દેશના દરિયાઈ હિતોનું કોઈપણ સમયે, ગમે ત્યાં, ગમે તે રીતે રક્ષણ કરવાની તેની તૈયારીને પુનઃપુષ્ટિ કરે છે. નૌકાદળ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં કોલકાતા ક્લાસ ડિસ્ટ્રોયર અને નીલગિરી અને ક્રીવાક ક્લાસ ફ્રિગેટ્સ સહિત અનેક ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજોમાંથી બ્રહ્મોસ એન્ટી-શિપ અને એન્ટી-સર્ફેસ ક્રુઝ મિસાઈલોનું પ્રક્ષેપણ દર્શાવવામાં આવ્યું છે.
#WATCH | Indian Navy warships deployed in the Arabian Sea carried out multiple anti-ship missile firings recently
(Video source: Indian Navy officials) pic.twitter.com/sPtqALtuqp
— ANI (@ANI) April 27, 2025
નેવીએ વીડિયો શેર કર્યો
નૌકાદળે સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું કે, “ભારતીય નૌકાદળના જહાજોએ લાંબા અંતરના ચોકસાઇવાળા આક્રમક હુમલાઓ કરવા માટે પ્લેટફોર્મ, સિસ્ટમ્સ અને ક્રૂની તૈયારીને ફરીથી પ્રમાણિત કરવા અને દર્શાવવા માટે અનેક સફળ એન્ટી-શિપ ફાયરિંગ કર્યા. ભારતીય નૌકાદળ રાષ્ટ્રના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે લડાઇ માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે અગાઉ પાકિસ્તાને અરબી સમુદ્રમાં ભારતીય મિસાઈલ ફાયરિંગ પહેલા દરિયાઈ સૂચના જાહેર કરી હતી.
#IndianNavy Ships undertook successful multiple anti-ship firings to revalidate and demonstrate readiness of platforms, systems and crew for long range precision offensive strike.#IndianNavy stands #CombatReady #Credible and #FutureReady in safeguarding the nation’s maritime… pic.twitter.com/NWwSITBzKK
— SpokespersonNavy (@indiannavy) April 27, 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પહલગામમાં થયેલા હુમલામાં 26 નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથેના તમામ મહત્વપૂર્ણ કરારો રદ કર્યા છે. જેમાં સિંધુ જળ સંધિનો પણ સમાવેશ થાય છે અને પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવાનો આદેશ આપ્યો. આ દરમિયાન પાકિસ્તાને ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારો પણ રદ કરી દીધા છે. પહલગામમાં થયેલા હુમલા બાદ ભારત સરકાર અને સુરક્ષા દળો દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.