રાજનાથ સિંહે અમેરિકાના સંરક્ષણમંત્રીને કર્યો ફોન, જાણો કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ

DM Rajnath Singh: રાજનાથ સિંહે અમેરિકાના સંરક્ષણમંત્રી સાથે ફોન પર વાત કરી છે. સંરક્ષણ મંત્રાલયે બંને વચ્ચેની વાતચીત અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સના આધારે, એવું માનવામાં આવે છે કે બંને નેતાઓ વચ્ચે પહલગામ આતંકવાદી હુમલા સંબંધિત વાતચીત થઈ હતી. આ આતંકવાદી ઘટના પાછળ પાકિસ્તાનની ભૂમિકા છે.
Rajnath Singh speaks with US counterpart Pete Hegseth
Read @ANI Story | https://t.co/wRhujI4FFv#RajnathSingh #PeteHegseth #US pic.twitter.com/0gnjeEpGRL
— ANI Digital (@ani_digital) May 1, 2025
નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ઘટના સમયે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ તેમના પરિવાર સાથે ભારતમાં હાજર હતા. આતંકવાદી ઘટના બાદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને તેમને ‘સંપૂર્ણ સમર્થન’નું આશ્વાસન આપ્યું હતું. અમેરિકા ઉપરાંત, રશિયા, ઇઝરાયલ, બ્રિટન જેવા ઘણા દેશોએ પણ ભારત સાથે એકતા દર્શાવી છે.
અગાઉ, રાજનાથ સિંહે ફેબ્રુઆરીમાં પીટ હેગસેથને ફોન કરીને નવા યુએસ સંરક્ષણમંત્રી બનવા બદલ અભિનંદન આપ્યા હતા. બંને સંરક્ષણમંત્રીઓએ જમીન, હવા, સમુદ્ર અને અવકાશ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. રાજનાથ અને પીટ હેગસેથે ભારત-અમેરિકા સંરક્ષણ સહયોગ પ્રવૃત્તિઓની વ્યાપક સમીક્ષા પણ કરી. બંને વચ્ચેની વાતચીતના સંદર્ભમાં સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે ટેક્નોલોજી સહયોગ, સંરક્ષણ ઔદ્યોગિક સપ્લાય ચેઈનના એકીકરણ, લોજિસ્ટિક્સ અને માહિતીની આપ-લે તેમજ સંયુક્ત સૈન્ય અભ્યાસ ચાલુ રાખવા અંગે વાતચીત થઈ હતી. બંને રક્ષામંત્રીઓ 2035 સુધી દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે પણ સંમત થયા હતા.