લોકસભામાં ઇમિગ્રેશન બિલ પાસ, અમિત શાહે કહ્યું- ભારત ‘ધર્મશાળા’ નથી

Immigration Bill 2025: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર તે લોકોનું સ્વાગત કરવા તૈયાર છે, જેઓ પ્રવાસી તરીકે અથવા શિક્ષણ, આરોગ્ય સેવા અને વ્યવસાય માટે ભારતમાં આવવા માગે છે, પરંતુ શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે જેઓ ખતરો ઉભો કરે છે તેમની સાથે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી બિલ, 2025 પર ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
#WATCH | Delhi | Replying in the Lok Sabha on the Immigration and Foreigners Bill, 2025, Union Home Minister Amit Shah says, "…The fencing work of 450 km is pending because the West Bengal government is not giving land for it… Whenever the process of fencing is done, the… pic.twitter.com/nevoFtNa0Z
— ANI (@ANI) March 27, 2025
ગૃહમાં અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ફક્ત તે લોકોને ભારત આવતા અટકાવશે જેમના ભારત આવવાના દુષ્ટ ઇરાદા છે, તેમણે કહ્યું કે ભારત કોઇ ‘ધર્મશાળા’ નથી. રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દેશ કોઈ ‘ધર્મશાળા’ નથી. જો કોઈ દેશના વિકાસમાં યોગદાન આપવા માટે દેશમાં આવે છે, તો તેનું હંમેશા સ્વાગત છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે પ્રસ્તાવિત કાયદો દેશની સુરક્ષાને મજબૂત કરશે, અર્થતંત્ર અને વેપારને વેગ આપશે તેમજ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. તેમણે એમ પણ કહ્યું કે સ્થળાંતર બિલ એ સુનિશ્ચિત કરશે કે દેશને ભારતમાં આવતા દરેક વિદેશી વિશે નવીનતમ માહિતી મળે. મ્યાનમાર અને બાંગ્લાદેશથી રોહિંગ્યાઓ દ્વારા ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દા પર બોલતા અમિત શાહે કહ્યું કે વ્યક્તિગત લાભ માટે ભારતમાં આશ્રય લેનારા આવા લોકોની સંખ્યામાં વધારો થયો છે, જેના કારણે દેશ અસુરક્ષિત બન્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે જો ઘુસણખોરો ભારતમાં અશાંતિ ફેલાવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
"हमारे देश की सीमा में कौन आता है, कब आता है, कितनी अवधि तक आता है और किस उद्देश्य से आता है, यह जानने का अधिकार इस देश की सुरक्षा के लिये बहुत जरूरी है।"
Union Minister @AmitShah while replying on the Immigration and Foreigners Bill 2025 in Lok Sabha@HMOIndia @AmitShahOffice… pic.twitter.com/J92BGSACAr
— Ministry of Information and Broadcasting (@MIB_India) March 27, 2025
ઘૂસણખોરી અંગે અમિત શાહે ટીએમસી પર પ્રહાર કર્યા
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વવાળી મમતા સરકાર પર ગેરકાયદેસર ઘૂસણખોરી સામે કડક પગલાં ન લેવાનો આરોપ લગાવતા અમિત શાહે કહ્યું કે ભારત-બાંગ્લાદેશ સરહદે 450 કિમીની ફેન્સીંગ કરવાનું કામ બાકી છે, કારણ કે પશ્ચિમ બંગાળ સરકારે આ માટે જમીન આપી નથી. તેમણે કહ્યું કે જ્યારે પણ ફેન્સીંગની પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યારે બંગાળના શાસક પક્ષના કાર્યકર્તાઓ ગુંડાગીરી અને ધાર્મિક સૂત્રોચ્ચાર કરવા લાગે છે. પશ્ચિમ બંગાળ સરકાર ઘૂસણખોરો પ્રત્યે મહેરબાન હોવાથી 450 કિલોમીટરની સરહદ પર ફેન્સીંગનું કામ પૂર્ણ થયું નથી. તેમણે કહ્યું કે અંદાજે 2,200 કિમી સરહદી વિસ્તારમાંથી માત્ર 450 કિમી વિસ્તાર ફેન્સીંગ માટે બાકી છે. પરંતુ, પશ્ચિમ બંગાળ સરકાર ફેન્સીંગના કામ માટે જમીન આપી રહી નથી.