કેવી રીતે થશે યમુનાની સફાઈ? PM મોદીએ યોજી હાઇ-લેવલ બેઠક, એક્શન પ્લાન પર થઈ ચર્ચા

Yamuna cleaning: PM નરેન્દ્ર મોદીએ આજે યમુના નદીની સ્થિતિ અંગે એક વ્યાપક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી, દિલ્હીના CM રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં યમુના નદીની સફાઈ અને કાયાકલ્પ માટેની ચાલુ અને ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં એજન્સી દ્વારા તૈયાર કરાયેલા કાર્ય યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં નદીની સફાઈ માટે ત્રણ મુખ્ય સમયરેખા હેઠળની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે-
- ટૂંકાગાળાની પ્રવૃત્તિઓ (3 મહિના)
- મધ્યગાળાની પ્રવૃત્તિઓ (3 મહિનાથી 1.5 વર્ષ)
- લાંબાગાળાની પ્રવૃત્તિઓ (1.5 થી 3 વર્ષ સુધી)
આ પ્રવૃત્તિઓમાં મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી
- ડ્રેનેજ મેનેજમેન્ટ
- સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ
- સીવેજ મેનેજમેન્ટ
- સેપ્ટેજ અને ડેરી વેસ્ટ મેનેજમેન્ટ
- ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ મેનેજમેન્ટ
- વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછતની ઓળખ અને દેખરેખ
- યમુના નદીમાં પાણીના પ્રવાહમાં સુધારો
- પૂરના મેદાનોનું રક્ષણ
- ગ્રીન રિવર ફ્રન્ટ વિકાસ
- પબ્લિક આઉટરીચ એટલે કે પબ્લિક અવેરનેસ
આ તમામ મુદ્દાઓ માટે સ્પષ્ટ સમયરેખા અને કાર્યવાહીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, જેથી યમુના નદીની સફાઈ અને કાયાકલ્પ માટે ઝડપી અને અસરકારક પગલાં લઈ શકાય.
નોંધનીય છે કે, વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી કચરો અને રાસાયણિક પદાર્થો યમુના નદીમાં જોવા મળે છે. દિલ્હી અને આસપાસના અન્ય શહેરી વિસ્તારોમાંથી ઘણું ગંદુ પાણી સીધું યમુના નદીમાં જાય છે. આ નાળાઓનું પાણી કોઈપણ સફાઈ વિના સીધું નદીમાં વહે છે, જેના કારણે નદીનું પાણીનું સ્તર વધુ ગંદુ બને છે.