May 21, 2024

ગુજરાત ટાઈટન્સનો ઘર આંગણે આટલી વખત થશે ‘મહામુકાબલો’

IPL 2024: ક્રિકેટના મહાસંગ્રામની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે આપણી ટીમ કયારે અને કયાં રમવાની છે? અને અમદાવાદમાં કેટલી મેચ રમાવાની છે? આવો આ તમામ વિગતો જાણો આ અહેવાલમાં.

કુલ પાંચ મેચ

IPL 2024ની 17મી સિઝનની પહેલા સેશની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. તારીખ 22 માર્ચથી લઈને 7 એપ્રિલ સુધી 21 મેચ રમાશે. ગુજરાત ટાઈટન્સની ટીમ કુલ પાંચ મેચ રમાવાની છે. GTની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને ટોટલ પાંચમાંથી ત્રણ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેમાંથી પહેલી મેચનું આયોજન આજના દિવસે થવા જઈ રહ્યું છે.

અહિંયા મેચનું આયોજન

આજના દિવસે ગુજરાત ટાઈટન્સની પહેલી મેચ આજના દિવસે અમદાવાદમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાશે. મહત્વની વાત એ છે કાલની મેચને લઈને કે ગુજરાતની સામે ટીમનો પૂર્વ કેપ્ટન હાર્દિક પંડયા જોવા મળશે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે જ ગત વર્ષે ફાઈનલમાં ગુજરાતને હરાવીને IPL 2023ની ટ્રોફીમાં જીત હાસંલ કરી હતી. ગુજરાત ટાઈટન્સ ત્રીજી મેચની વાત કરવામાં આવે તો 31 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અને ચોથી મેચ 4 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમશે. આ બંને મેચો અમદાવાદ ખાતે રમાશે. છેલ્લી અને લાસ્ટ મેચ પ્રથમ શેડ્યૂલની લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેમના હોમ ગ્રાઉન્ડ એટલે કે લખનૌમાં સામ સામે ટકરાશે.

ગુજરાત ટાઇટન્સ

રિદ્ધિમાન સાહા, સાઈ સુદર્શન, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, ડેવિડ મિલર, શાહરુખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન, મોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન). આ ખેલાડીઓ ગુજરાત ટાઇટન્સની ટીમમાં છે.

આ રૂટ પર વાહનોની અવરજવર બંધ
આજના દિવસે અમદાવાદમાં મેચનુ આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને જનપથી ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈને કૃપા રેસિડેન્સી ટી થઈને મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો છે. તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસત ટી થઈને જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈને પ્રબોધ રાવળ સર્કલ સુધીના જતા-આવતા રસ્તા પર અવરજવર કરી શકાશે. 2. કૃપા રેસિડેન્સી ટી થઈને શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈને ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.