September 21, 2024

પોરબંદરમાં કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર સાથે મોટી દુર્ઘટના, 3 લોકો લાપતા

પોરબંદર: ભારતીય કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર ધ્રુવનું અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર ભારતીય કોસ્ટ ગાર્ડના બે પાયલટ ગુમ થઈ ગયા છે. તેની સાથે એક ડાઇવર પણ મુસાફરી કરી રહ્યો હતો. તે અંગે પણ કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ બાકીના ત્રણ લોકો લાપતા છે. આ હેલિકોપ્ટર ગુજરાતમાં પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલું હતું. સમગ્ર મામલાની જાણકારી ધરાવતા અધિકારીઓનું કહેવું છે કે હેલિકોપ્ટરે સોમવારે રાત્રે પોરબંદર નજીક દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.

આ હેલિકોપ્ટરમાં બે પાઈલટ અને બે ડાઈવર્સ સવાર હતા. અત્યાર સુધીમાં એક ડાઇવરની ઓળખ થઇ છે. પરંતુ બાકીના ત્રણ હજુ પણ ગુમ છે. આ હેલિકોપ્ટર ગુજરાતમાં પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને રાહત સામગ્રી પહોંચાડવામાં વ્યસ્ત હતું. કોસ્ટ ગાર્ડ દ્વારા આ કામગીરીમાં ચાર જહાજ અને બે એરક્રાફ્ટ તૈનાત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પૂર અને ચક્રવાત દરમિયાન અત્યાર સુધીમાં ભારતીય કોસ્ટ ગાર્ડના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે 67 લોકોના જીવ બચાવ્યા છે. કોસ્ટ ગાર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ 11 વાગ્યે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

જ્યારે ઇમરજન્સી લેન્ડિંગ બાદ રિકોનિસન્સ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે એક ડાઇવરનો બચાવ થયો હતો. વિમાનનો કાટમાળ પણ મળી આવ્યો છે, પરંતુ બાકીના ત્રણ લોકો હજુ લાપતા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હેલિકોપ્ટર એક જહાજ પાસે પહોંચવા જઈ રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે હાલમાં સર્ચ ઓપરેશનમાં 4 જહાજોને ઉતાર્યા છે. ઈમરજન્સી લેન્ડિંગનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પ્રાથમિક તપાસ બાદ જ આ અંગે કોસ્ટ ગાર્ડ દ્વારા નિવેદન જારી કરી શકાશે. હાલમાં માત્ર ગુમ થયેલા પાઈલટ અને એક ડાઈવરની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.