ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની વયે નિધન

Gujarat: ગુજરાતના જાણીતા ભારતીય કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું આજે વહેલી સવારે 95 વર્ષની વયે નિધન થયું. તેમને તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા. 17 મે 1930 ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો. તે એક ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા.

મળતી માહિતી અનુસાર કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન થયું છે. અમદાવાદમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે. નોંધનીય છે કે, તેમણે ઈ.સ.1967માં અમદાવાદમાં કદમ્બ સ્કૂલ ઑફ ડાન્સ ઍન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી જે ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત એક સંસ્થા છે. કથક ક્ષેત્રે નવતર પ્રયોગોનો શ્રેય તેમના ફાળે જાય છે. આ સિવાય વર્ષ 1987માં પદ્મશ્રી અને વર્ષ 2010માં પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા

આ પણ વાંચો: હાર બાદ ધોનીનું છલકાયું દર્દ ગયું, મેચ વિશે કહી આ વાત