February 12, 2025

ST નિગમના કર્મચારીઓ માટે હર્ષ સંઘવીની મોટી જાહેરાત, જાણો શું કહ્યું

અમદાવાદઃ ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. ચાલુ ફરજે અવસાન થતા સ્વજનોને ચૂકવતા આર્થિક પેકેજમાં વધારો કરવામાં આવ્યો છે.

સરકારે આર્થિક પેકેજમાં 8થી 10 લાખ જેટલો વધારો કર્યો છે. એટલે હવેથી જો કોઈ એસટી નિગમના કર્મચારીઓનું ચાલુ ફરજે મોત થાય છે તો તેમના સ્વજનોને રૂપિયા 14 લાખ ચૂકવવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને માહિતી આપી છે.

વાહન-વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે કે, ‘રાજ્યના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે. નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને હાલ ચૂકવતા આર્થિક પેકેજમાં રૂ. ૮ થી ૧૦ લાખ જેટલો વધારો કરીને તેઓને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવતા પેકેજ જેટલું એટલે કે રૂ.૧૪ લાખ આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આ બાબત ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે.’