બોર્ડની પરીક્ષાને લઈને સરકારની જાહેરાત, ST વિભાગ 250 વધારાની ટ્રીપ ચલાવશે

અમદાવાદઃ રાજ્યમાં અગામી તારીખ 27મી ફેબ્રુઆરીથી 10મી માર્ચ દરમિયાન આયોજિત થનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસટી વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડ પરીક્ષા સંદર્ભે એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પોસ્ટ પર ટ્વીટ કરીને માહિતી આપી છે.
રાજ્યમાં અગામી તારીખ તા-૨૭/૦૨/૨૦૨૫ થી તા-૧૦/૦૩/૨૦૨૫ દરમિયાન આયોજિત થનાર ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન
– જેમાં એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર…
— Harsh Sanghavi (@sanghaviharsh) February 21, 2025
તેમાં લખ્યું છે કે, ‘એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનું આયોજન છે. હાલમાં જે – તે જિલ્લા વહીવટીતંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળેલ છે. હજુ પણ માંગણી મળેથી તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે.’
વધુમાં લખ્યું છે કે, ‘એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લા લેવલના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપી એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદેની સૂચનો પ્રસિદ્ધ કરેલ છે. એસ.ટી.નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે.’