અમદાવાદના ઇન્દિરા બ્રિજ નજીક એપાર્ટમેન્ટમાં આગ લાગી, 2 મહિલાઓએ જીવ બચાવવા કૂદકો માર્યો

અમદાવાદ: ઇન્દિરા બ્રિજ નજીક એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આત્રેય એપાર્ટમેન્ટમાં ચોથા માળે એસીમાં આગ લાગી હતી જે આગ પાંચમાં માળ સુધી પહોંચી હતી. આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે આગ લાગતા એપાર્ટમેન્ટમાં ફસાયેલી મહિલાએ પાંચમાં માળેથી કૂદકો માર્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી છે.

આત્રેય એપાર્ટમેન્ટમાં આગ લાગતા અંદર ફસાયેલા 27 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. 5 વ્યક્તિઓએ જીવ બચાવવા કૂદકો માર્યો હતો. જોકે મહામહેનતે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્ત ત્રણ લોકોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેમાંથી બે લોકોની હાલત સ્થિર છે. 32 વર્ષીય મહિલા ક્રિટિકલ હાલતમાં હોવાથી વેન્ટિલેટ ઉપર રાખવામાં આવ્યા છે.