અમદાવાદના ગોતા, નિકોલ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાંથી પકડાયું નકલી પનીર

અમદાવાદ: પનીર ખાતા પહેલા ચેતી જજો, કેમ કે અમદાવાદમાં વેચાઈ રહ્યું છે નકલી પનીર. અમદાવાદમાં એન્લોગ પનીરનો ધૂમ વેપાર થઈ રહ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા જથ્થો સીલ કરાયો છે. ગોતા, નિકોલ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાંથી નકલી પનીર પકડાયું છે. અંદાજિત 1.39 લાખનો જથ્થો ઝડપાયો છે. પામ તેલ, સ્ટાર્ચ વેજીટેબલ ફેટ્સથી એન્લોગ પનીર તૈયાર કરાય છે.

કૃષ્ણ ડેરીના માલિકનો લૂલો બચાવ કરતા જણાવ્યું કે, નાથદ્વારાની શ્રીનાથ ડેરીમાંથી પનીર મંગાવવામાં આવે છે. રિપોર્ટમાં કંઈ પણ ખોટું આવશે તો દંડ ભરવા તૈયાર છું.