May 18, 2024

ઉપવાસ દરમિયાન ન કરો આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન

અમદાવાદ: આવતી કાલથી એટલે કે 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો આરંભ થઈ રહો છે. મોટા ભાગના લોકો આશો નવરાત્રીની જેમ આ ચૈત્રી નવરાત્રીએ પણ ઉપવાસ રાખતા હોય છે વ્રત રાખવાના અનેક ફાયદાઓ છે. કારણ કે આ દરમિયાન શરીરને બ્રેક મળે છે. જેના કારણે શરીર ડિટોક્સ થાય છે, પરંતુ જો લાંબા સમય સુધી શરીરને ખોરાક આપવામાં ના આવે તો તેના નુકસાન પણ અનેક છે. નવરાત્રી સમયે જો ઉપવાસ કરી રહ્યા છો તો ખાવા પીવાથી લઈને દરરોજના રૂટિનમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ. તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

તળેલો ખોરાક ખાવાનું ટાળો
નવરાત્રિ દરમિયાન, નમકીન અને ચિપ્સ જેવી અનેક પ્રકારની ઉપવાસની વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ હોય છે, પરંતુ આ વસ્તુઓને ટાળવી જોઈએ કારણ કે આ વસ્તુઓમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી, સ્વચ્છતાથી લઈને, તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય ઘણા લોકો ઘરે ફાસ્ટિંગ ફૂડ પણ બનાવે છે જે એકદમ ઓઇલી હોય છે. તેનાથી તમારું પાચન બગડી શકે છે અને ડિહાઈડ્રેશન પણ થઈ શકે છે.

કેફીન ધરાવતી વસ્તુઓથી અંતર રાખો
ઉપવાસ દરમિયાન, ચા અને કોફી વગેરેની માત્રા મર્યાદિત કરો, કારણ કે તે ખાલી પેટ પર એસિડિટીનું કારણ બની શકે છે. ખાસ કરીને ધ્યાન રાખો કે રાત્રે સૂતા પહેલા ભૂલથી પણ ચા કે કોફી ન પીવી. આ સિવાય એવા ડ્રિંક્સથી બચો કે જેમાં વધુ પડતી ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.

આ પણ વાંચો: કેજરીવાલને CM પદથી હટાવવાની માગ કરનારા પૂર્વ MLAને HCએ ઝાટક્યા!

ભારે પ્રવૃત્તિઓ કરવાનું ટાળો
ઉપવાસ દરમિયાન ઉર્જા ઘટે છે અને સ્નાયુઓ પણ નબળા પડી જાય છે. તેથી આ સમયગાળા દરમિયાન ભારે વર્કઆઉટ કરવાનું ટાળવું જોઈએ. આ સિવાય વધુ સમય સુધી તડકામાં બહાર રહેવાનું ટાળો, નહીં તો ડિહાઈડ્રેશનને કારણે તમે નબળાઈ અને થાક અનુભવી શકો છો.

હાઇડ્રેશનનું ખાસ ધ્યાન રાખો
વ્રત દરમિયાન ઓછું પાણી પીવાની ભૂલ ન કરો. શરીરમાં પાણીની ઉણપને કારણે થાક અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. પુષ્કળ પાણી પીવાની સાથે, નારિયેળ પાણી, તાજા રસદાર ફળો જેવા કે દ્રાક્ષ, કાકડી, નારંગી વગેરેનો સમાવેશ કરો.

આ ભૂલ મોંઘી સાબિત થશે
ઘણા લોકો બીમાર પડ્યા પછી પણ ઉપવાસ રાખે છે, પરંતુ આ ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે. જો તમે કોઈપણ પ્રકારની સારવાર લઈ રહ્યા હોવ અથવા કોઈ નાની-નાની સ્વાસ્થ્ય સમસ્યા હોય તો પણ ઉપવાસ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.

આ વસ્તુઓથી તમને ઉર્જા મળશે
ઉપવાસ દરમિયાન દિવસભર ઉર્જાવાન રહેવા માટે થોડી બદામ, અખરોટ અને મગફળીને રાત્રે પલાળી રાખો. જો તમે તેને સવારે ખાશો તો તમારામાં દિવસભર એનર્જી રહેશે. થોડા કલાકોના અંતરે ફળોનું સેવન કરવાનું ચાલુ રાખો.