May 12, 2024

કોંગ્રેસની CEC ની બેઠકમાં લેવાયો નિર્ણય! દિગ્વિજય સિંહ ફરીથી લડશે લોકસભા

MP Lok Sabha Election 2024: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ ફરીથી લોકસભા ચૂંટણી લડશે. માહિતી અનુસાર રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહ રાજગઢ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. બીજી બાજુ કોંગ્રેસ વરિષ્ઠ નેતા અરુણ યાદવને ગુના બેઠક પરથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સામે મેદાનમાં ઉતારી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં બંને નામોને મંજૂરી આપવામાં આવી છે અને કોંગ્રેસ પૂર્વ કેન્દ્રીય મંત્રી કાંતિલાલ ભુરિયાને ઝાબુઆ બેઠક પરથી ઉમેદવાર બનાવી શકે છે.

આ પણ વાંચો: ખેડા લોકસભા બેઠક પરથી કોંગ્રેસે કાળુસિંહ ડાભીનું નામ જાહેર કર્યું

નોંધનીય છે કે, વર્ષ 2020માં જ્યારે મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં મોટું વિભાજન થયું ત્યારે તેનું કારણ રાજ્યસભાની ટિકિટને લઈને દિગ્વિજય સિંહ અને સિંધિયા વચ્ચેની ખેંચતાણ હતી. સિંધિયા કોંગ્રેસથી અલગ થયા અને બે વર્ષ પછી કમલનાથની સરકાર પડી ગઇ હતી. ભાજપે રાજગઢ બેઠક પરથી રોડમલ નગરને ટિકિટ આપી છે. ભાજપના રોડમલ નાગર રાજગઢ સીટ પરથી હાલમાં સાંસદ છે. તેઓ સતત બે વખત અહીં સાંસદ તરીકે ચૂંટાયા છે. 2014 અને 2019માં જીત મેળવી હતી.

દિગ્વિજય સિંહ ગત ચૂંટણીમાં હારી ગયા હતા
છેલ્લી લોકસભા ચૂંટણી સિંધિયા અને દિગ્વિજય બંને માટે નિરાશાજનક હતી. દિગ્વિજયને ભોપાલ સીટ પર પ્રજ્ઞા સિંહ ઠાકુરે હરાવ્યા હતા. ત્યાં જ સિંધિયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુના બેઠક પર ભાજપના કેપી યાદવને તેમના ગઢમાં કારમી હાર આપીને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ વખતે કેપી યાદવની ટિકિટ કપાઈ છે. બીજેપીએ ગુના બેઠક પરથી સિંધિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

મધ્ય પ્રદેશમાં લોકસભાની 29 બેઠકો છે અને તેમાંથી ગુનાને હાઈપ્રોફાઈલ સીટ માનવામાં આવે છે. બીજી બાજુ અરુણ યાદવને કોંગ્રેસે ટિકિટ આપવાનું લગભગ નક્કી કરી લીધું છે, તે મધ્ય પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે. યાદવ દિગ્ગ્જ ઓબીસી નેતા તરીકે ઓળખાય છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મધ્યપ્રદેશની માત્ર એક છિંદવાડા બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. કમલનાથના પુત્ર નકુલનાથ જીત્યા હતા.