July 6, 2024

રાહુલે બતાવેલી મુદ્રાનો વિવાદ..!

ભરતના નાટ્યશાસ્ત્ર અનુસાર હાથની કુલ 64 મુદ્રા હોય છે. આ મુદ્રાઓના અલગ-અલગ ભાવ હોય છે. અત્યારે તો અભય મુદ્રાની જ ચર્ચા છે. જેનું કારણ રાહુલ ગાંધી છે. સંસદમાં પણ શબ્દોથી નૃત્ય રચાય છે. વળી, નૃત્યની જેમ જ અહીં પણ હાવભાવ ખૂબ જ મહત્ત્વના છે. મૂળ વાત રાહુલની છે. રાહુલ ગાંધીએ લોકસભામાં અભય મુદ્રા બતાવી. ડરો મત. તેઓ આ મૂળ મેસેજ આપવા ઇચ્છતા હતા. જેના માટે તેઓ ભગવાન શંકરની છબી પણ લોકસભામાં લઈને આવ્યા. જેના પછી તરત જ તેઓ હિંસાની પણ વાત કરવા લાગ્યા. સ્વાભાવિક રીતે હિન્દુઓ રાહુલ ગાંધીથી ખૂબ જ નારાજ થઈ ગયા છે. શું છે સમગ્ર મામલો જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત Fullstop With Janak Dave