July 1, 2024

બીલીમોરામાં ખુલ્લી ગટરમાં ગરકાવ થયેલી બાળકીનો મૃતદેહ 22 કલાક બાદ મળ્યો

નવસારી: ચોમાસા પહેલા જ બીલીમાોરામાં ગટર અને નાળાઓ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા જેનો ભોગ એક છ વર્ષની બાળકી બની છે. બીલીમોરામાં જીવનજ્યોત એપાર્ટમેન્ટની પાછળના સરાલાઈન વિસ્તારમાં એક છ વર્ષની બાળકી ગટરમાં ગરકાવ થઇ ગઈ હતી. જોકે ફાયરની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ 22 કલાક બાદ આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

તમને જણાવી દઇએ કે, ગઈકાલે બપોરે 2 વાગ્યાની આસપાસ બાળકી ગટરમાં ગરકાવ થઇ ગઈ હતી. જે બાદ તંત્રને જાણ કરાઈ હતી. જે બાદ પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાળકીની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ 22 કલાક બાદ બાળકીનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં લોકોનો આક્ષેપ છે કે, પાલિકાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં રહે છે અને ચોમાસાની ઋતુમાં પણ નાળા અને ગટરો ખુલ્લા રાખી દેવામાં આવે છે જેના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

બીલીમોરામાં 6 વર્ષની બાળકીનો ગટરમાં પડવાનો મામલે તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં ફાયર ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. જોકે 22 કલાકની જહેમત બાદ આજે અંબિકા નદીના પટમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જે બાદ બાળકીના પરિવારમાં શોકના મોહોલ પ્રસરી ગયો હતો.