May 1, 2024

માતાપિતા માટે લાલબત્તી સમાન રિપોર્ટ, સેરેલેકને લઈને મોટો ખુલાસો

અમદાવાદ: ભારતમાં નેસ્લેના બે સૌથી વધારે વેચાતા બેબી ફૂડ પ્રોડક્ટમાં વધુ માત્રામાં એડેડ શુગર હોવાનો ખુલાસો થયો છે. સ્વિટ્ઝરલેન્ડની કંપની છેલ્લા કેટલાક સમયથી તેના પર નજર રાખી રહી હતી. તેમના દ્વાર જાહેર કરેલા ‘પબ્લિક આઈ’ રિપોર્ટમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. નેસ્લે તેના આ બેબી ફૂડ પ્રોડક્ટ્સને બ્રિટેન, જર્મની જેવા વિકસિત દેશોમાં વેચે છે. એ પ્રોડક્ટમાં ખાંડ ઉમેરવામાં નથી આવતી, માત્ર ભારતમાં મળતા પ્રોડક્ટમાં વધુ પ્રમાણમાં ખાંડ મળી આવી છે. મહત્વનું છે કે, નેલ્સે સ્વિટ્ઝરલેન્ડની એક નામી કંપની છે. તેના પ્રોડક્ટ દુનિયાભરમાં વેચાય છે.

પબ્લિક આઈની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નેસ્લે ઘણા દેશોમાં બાળકો માટે દુધ અને સેરેલેક પ્રોડક્ટસમાં ખાંડ અને મધનો ઉપયોગ કરે છે. જે આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે. આ વસ્તુઓના કારણે મોટાપો અને જુની બીમારોમાં વધારો થઈ શકે છે. નેસ્લેની વિરૂદ્ધમાં એશિયા, આફ્રીકા અને દક્ષિણ અમેરિકાના અનેક દેશોમાં કેસ નોંધાયા છે. મહત્વનું છે કે, કંપનીએ કહ્યું કે, તેઓ ભારતના તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીની દરેક રેલી-રોડ શોના અંતે સફાઈ કર્મચારીઓને ટીમ રહેશે હાજર

15 સેકેલેકમાં મળી આવી ખાંડ
તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ભારતમાં વેચાતા 15 બેબી ફૂડ સેરેલેકમાંથી વધુ ખાંડ મળી આવી છે. આ બેબી ફૂડમાં સરેરાશ 3 ગ્રામ ખાંડ મળી આવી છે. કંપની દ્વારા જણાવવામાં આવે છે કે એક વખતમાં બાળકને કેટલી માત્રામાં સેરેલેક આપવું જોઈએ. આફ્રીકાના ઈથિયોપિયા અને એશિયાના થાઈલેન્ડ જેવા દેશમાં તો માત્ર 6 ગ્રામ ખાંડ મળી આવી છે. મહત્વનું છે કે, આ જ પ્રોડક્ટને જર્મની અને બ્રિટન જેવા દેશોમાં ખાંડ નાખવામાં જ નથી આવતી.

નેસ્લે પેકેજિંગમાં ખાંડ છુપાવી
નેસ્લેની હોંશિયારીએ હકીકત પરથી પણ સ્પષ્ટ થાય છે કે તે ઘણી વખત ઉત્પાદનના પેકેજિંગ પર કેટલી ખાંડ ધરાવે છે તેની માહિતી આપતી નથી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “નેસ્લે તેના ઉત્પાદનોમાં હાજર વિટામિન્સ, ખનિજો અને અન્ય પોષક તત્વો વિશે માહિતી પ્રદાન કરે છે, પરંતુ જ્યારે ખાંડ ઉમેરવાની વાત આવે છે, ત્યારે તે બિલકુલ પારદર્શક નથી.” મહત્વનું છે કે નેસ્લેએ 2022માં ભારતમાં રૂ. 20,000 કરોડથી વધુની કિંમતની સેરેલેક પ્રોડક્ટ્સ વેચી છે.

બાળકોને ખાંડ ખાવાની આદત પડી જાય છે
નિષ્ણાતો કહે છે કે બાળકોના ઉત્પાદનોમાં ખાંડ ઉમેરવી જોખમી અને બિનજરૂરી છે. આ કારણે બાળકોને ખાંડ ખાવાની આદત પડી શકે છે. બ્રાઝિલની ફેડરલ યુનિવર્સિટી ઓફ પરાઈબાના ન્યુટ્રિશન વિભાગના પ્રોફેસર રોડ્રિગો વિઆનાએ જણાવ્યું હતું કે, “આ ચિંતાનો વિષય છે. શિશુઓ અને નાના બાળકોને આપવામાં આવતા ખાદ્ય ઉત્પાદનોમાં ખાંડ ઉમેરવી જોઈએ નહીં, કારણ કે તે બિનજરૂરી અને અત્યંત વ્યસનકારક છે.” આ કારણે બાળકોમાં મીઠાઈ ખાવાની ટેવ કેળવાય છે.”