July 3, 2024

Palanpurના 16 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર, 4નાં મોત થયા હોવાનો સ્થાનિકોનો દાવો

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ પાલનપુરના કોટ વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો છે. કોલેરાની અસરથી 150 જેટલા લોકો અસરગ્રસ્ત છે, તો 30 જેટલા લોકો સારવાર હેઠળ છે. સ્થાનિકોના મત પ્રમાણે કોલેરાથી ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે. તંત્રની નિષ્ક્રિયતાને કારણે કોલેરાના રોગચાળાએ ભરડો લીધો છે. ન્યૂઝ કેપિટલે ત્રણ જૂને કોલેરાની દહેશતને લઈને તેના સ્થાનિક લોકોની મુલાકાત કરી હતી. ત્યારે તેના સ્થાનિક લોકોએ તંત્રને વહેલા તકે જાગવા માટે જાણ કરી હતી, છતાં તંત્ર કાર્યવાહી કરવામાં બેદરકાર રહ્યું અને જેને કારણે કોટ વિસ્તારમાં આ પરિસ્થિતિ ઊભી થઈ હવે મોડે મોડે તંત્ર જાગ્યું છે અને આરોગ્ય અને પાલિકાની ટીમો કોટ વિસ્તારમાં કામે લાગી છે.

બનાસકાંઠાના કલેક્ટરે પાલનપુરના કોટ વિસ્તારમાં 16 જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરી અને જાહેરનામું બહાર પાડ્યું છે. 3 જૂને ન્યૂઝ કેપિટલ દ્વારા કોટ વિસ્તારની પરિસ્થિતિ બતાવી અને આ વિસ્તાર કોલેરાગ્રસ્ત થશે, તેવી દશરથ વ્યક્ત કરી હતી. ત્યારે 30 જેટલા લોકો સારવાર હેઠળ હતા. અત્યારે 150 જેટલા લોકોને અસર થઈ હતી, પરંતુ ત્રણ જૂન બાદ તંત્રની કોઈ કાર્યવાહી ન થતા અત્યારે કોટ વિસ્તારમાં કોલેરાના રોગચાળાએ ભરડો લીધો છે અને 150થી વધુ લોકો સારવાર હેઠળ છે. જ્યારે ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે. 30 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે આરોગ્ય વિભાગની નવ ટીમો કોટ વિસ્તારના 16 જેટલા વિસ્તારના સરવે કરી રહી છે અને પાલનપુર નગરપાલિકાએ હવે સફાઈની કામગીરી હાથ ધરી છે. સ્થાનિકોના મત પ્રમાણે નગરપાલિકાની નિષ્ક્રિયતા છે. કારણ કે અહીં સાફ સફાઈ અને વર્ષો સુધીની રજૂઆત છતાં ધ્યાન આપવામાં આવતું નથી અને જેના કારણે અત્યારે આ કોલેરાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારબાદ હવે તંત્ર મોડું મોડું દોડતું થયું છે અને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? અંબાલાલ પટેલની આગાહી

છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં રોગચાળાની અસર છે. દૂષિત પાણીને લીધે રોગચાળો ફેલાયા બાદ તંત્રની નિષ્ક્રિયતાને કારણે રોગચાળો વધુ પ્રસર્યો છે. જો કે, આરોગ્ય વિભાગના પાણીના સેમ્પલમાં કોલેરાની પોઝિટિવ અસર આવી અને જેને પરિણામે 150થી વધુ લોકો બીમાર થયા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પાલનપુરના કોટ વિસ્તારને છેલ્લા કેટલાય વર્ષોથી ઉપેક્ષા કરવામાં આવે છે અહીંયા સાફ-સફાઈ થતી નથી દૂષિત પાણી આવ્યા છે અને જેને કારણે વારંવાર રોગચાળો ફેલાય છે. અત્યારે તો સ્થાનિકોનું સરકાર તંત્ર અને પાલિકા સામે રોષ છે, પરંતુ અત્યારે મહત્વનું એ છે કે આ કોલેરાને કંટ્રોલ કરવામાં આવે.

આ પણ વાંચોઃ પ્રેમ પ્રકરણમાં જામનગરમાં હત્યા, છરીના ઘા ઝીંકી યુવકને પતાવી દીધો

પાલનપુર કોટ વિસ્તારની રોગચાળાની પરિસ્થિતિ એ છે કે, ગઈકાલે રાત્રે શહેનાઝ બાનુ નામની મહિલાનું સારવાર દરમિયાન મોત થયું. કોલેરાની અસર હેઠળ મહિલા સારવાર હેઠળ હતી અને જેનું ગઈકાલે મોત થયું હતું. આ પહેલાં પણ ત્રણ મોત થઈ ચૂક્યા છે. દૂષિત પાણીને કારણે રોગચાળો ફેલાયો આ વિસ્તારમાં ગંદી ગટરો અને સફાઈનો અભાવ અને જેને કારણે ચાર લોકોના મોત થયા છે અને જેની કારણે તંત્ર સામે આક્રોશ છે. ત્યારે તંત્ર હંમેશાં કોઈપણ ઘટનામાં મોતની રાહ જોતું હોય છે અને ત્યારબાદ કાર્યવાહી કરતું હોય છે. ઘટના આગ હોય, અકસ્માત હોય અથવા ડૂબવાની ઘટના હોય લોકોના મોત થાય ત્યારબાદ જ કાર્યવાહી થતી હોય છે, પરંતુ નક્કર તંત્ર દ્વારા કોઈપણ વિસ્તારનું કાર્યવાહીનું આયોજન થતું નથી.