વક્ફના બહાને લોકસભામાં અખિલેશ યાદવે CM યોગી પર કર્યાં પ્રહાર, ગંભીર આરોપ લગાવ્યા

Waqf Amendment Bill: આજે લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન સરકાર વતી કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ બિલ રજૂ કર્યું. બિલ રજૂ થયા પછી, તેના પર ચર્ચા થઈ. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે વક્ફ બિલના બહાને યોગી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા.
મહાકુંભથી લઈને તાજેતરમાં પૂર્ણ થયેલી ઈદ સુધી વિવિધ જિલ્લાઓમાં લાદવામાં આવેલા પ્રતિબંધોનો ઉલ્લેખ કરીને સમાજવાદી પાર્ટીના વડાએ સંસદમાં યોગી સરકારને ઘેરી લીધી. મહાકુંભનો ઉલ્લેખ કરતા અખિલેશે કહ્યું કે 1000 હિન્દુઓ ખોવાઈ ગયા છે, તેઓ ક્યાં છે? કોઈપણ તૈયારી વિના ભાજપના લોકોએ 100 કરોડ લોકોને બોલાવ્યા. શું બધાને ખબર છે કે મહાકુંભમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા?
પેટાચૂંટણી અને ઈદ પર પ્રતિબંધનો ઉલ્લેખ કર્યો
કન્નૌજના સાંસદે કહ્યું કે આ લોકો મુસ્લિમોમાં ભાગલા પાડવા માંગે છે. ભાગલા તો PDA કરશે જોઇ લેજો. મિલ્કીપુર પેટાચૂંટણીનો ઉલ્લેખ કર્યા વિના, અખિલેશે ફૈઝાબાદના સાંસદ અવધેશ પ્રસાદ તરફ ઈશારો કર્યો અને કહ્યું કે તેમણે ચૂંટણી જોઈ છે… તેમણે લોકોને મતદાન પણ કરવા દીધા ન હતા. તેમણે કહ્યું કે બધા ધર્મોના નેતાઓ ઈદ પર જાય છે પરંતુ આ વખતે પ્રતિબંધો હતા. વક્ફ બિલનો વિરોધ જાહેર કરતા, સપા વડાએ કહ્યું કે સમાજવાદી પાર્ટી આ બિલનો વિરોધ કરે છે.