July 2, 2024

Ajit Dovalને ત્રીજી વખત NSA બનાવ્યા, PK Mishra રહેશે PMના મુખ્ય સચિવ

NSA Ajit Doval: નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ અજીત ડોભાલને સતત ત્રીજી વખત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) બનાવવામાં આવ્યા છે. તેઓ ફરી એકવાર એ જ પદ પર રહેશે. દરમિયાન, વડા પ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા આગામી આદેશો સુધી તે જ પદ પર રહેશે. તેમની નિમણૂક 10 જૂન, 2024થી લાગુ થઈ ગઈ છે. પૂર્વ IAS ઓફિસર અમિત ખરે અને તરુણ કપૂર પણ આગામી આદેશ સુધી પીએમ મોદીના સલાહકાર તરીકે ચાલુ રહેશે.

2014થી પીએમ નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા છે
ડૉ. પી.કે. મિશ્રા અગ્ર સચિવ તરીકે ચાલુ રહેતા અને અજિત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે ફરી શરૂ થતાં, તે બંને વડાપ્રધાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્ય સલાહકાર બની ગયા છે. ડોભાલ 1968 બેચના IPS અધિકારી, આતંકવાદ વિરોધી અને પરમાણુ મુદ્દાઓમાં નિષ્ણાત છે. ડૉ. પી.કે. મિશ્રા 1972 બેચના નિવૃત્ત અધિકારી છે, જેઓ ભારત સરકારના કૃષિ સચિવના પદ પરથી નિવૃત્ત થયા બાદ છેલ્લી બે ટર્મથી પીએમ નરેન્દ્ર મોદી સાથે રહ્યા છે. ડો. મિશ્રા અને NSA અજીત ડોભાલ બંનેને વડાપ્રધાન મોદીના સૌથી વિશ્વાસુ લોકોમાં ગણવામાં આવે છે, કારણ કે તે બંને 2014માં વડાપ્રધાન બન્યા તે પહેલાથી તેમની સાથે જોડાયેલા છે.

અજીત ડોભાલ આ બાબતોમાં નિષ્ણાત છે
અજીત ડોભાલે પંજાબમાં IBના ઓપરેશનલ ચીફ તરીકે અને કાશ્મીરમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. જેના કારણે તેમને બંને સંવેદનશીલ વિસ્તારોમાં પાકિસ્તાનના ષડયંત્રને સમજવાનો અનુભવ છે. અજીત ડોભાલને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મધ્ય પૂર્વની સ્થિતિ અને ત્યાંના દેશો સાથેના સંબંધો વિશે ઘણો અનુભવ છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં તેમની પ્રથમ મોટી સોંપણી તરીકે, અજીત ડોભાલ ગુરુવારે (13 જૂન) વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઇટાલીમાં G-7 સમિટમાં ભાગ લેશે.