મોટેરામાં આવેલા આસારામ આશ્રમને 120 એકર જમીન ખાલી કરવા નોટિસ

અમદાવાદઃ મોટેરામાં આવેલા આસારામ આશ્રમને જમીન ખાલી કરવા માટે કલેક્ટરે નોટિસ ફટકારી છે. કલેક્ટરે 120 જેટલી જમીન ખાલી કરવા માટે નોટિસ ફટકારી છે. આ ઉપરાંત અન્ય બે આશ્રમોને પણ 20 એકર જમીન ખાલી કરવા નોટિસ ફટકારવામાં આવી છે. આમ કુલ ત્રણ આશ્રમોને 140 એકર જમીન ખાલી કરવા નોટિસ ફટકારી છે.
મોટેરામાં ઓલિમ્પિક ગેઇમ્સ માટે જમીન ખાલી કરવા નોટિસ ફટકારવામાં આવી છે. મોટેરા પાસે ઓલિમ્પિક ગેમ્સ માટેનું સ્ટેડિયમ બનાવવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે મોટેરા પાસે જમીન સંપાદન હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં કુલ ત્રણ આશ્રમોને નોટિસ ફટકારી હતી.
આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ આશ્રમને પણ નોટિસ ફટકારવમાં આવી છે. આ ત્રણ આશ્રમોને કુલ 140 એકર જમીન ખાલી કરાવવા માટે કલેક્ટરે નોટિસ ફટકારી છે. આસારામ આશ્રમે જમીન પચાવી હોવાથી કોઈ વળતર નહીં મળે. આસારામ આશ્રમના કિસ્સામાં સરકાર કોઈ વળતર નહિ આપે.
આસારામ આશ્રમે મોટા ભાગે સરકારી જમીન પચાવી પાડીને આશ્રમ બનાવ્યો છે. ત્યારે આસારામ આશ્રમને સરકારી જમીન પચાવી ગેરકાયદે બાંધકામ કરવા નોટિસ પણ ફટકારી હતી. આસારામ આશ્રમે ચેરિટેબલ ટ્રસ્ટ માટે ફાળવાયેલી જમીનનો ઉપયોગ ધંધા માટે કરીને નિયમભંગ કર્યો છે. હાલ ત્રણેય આશ્રમને જમીન ખાલી કરવા આદેશ કર્યો છે.