May 18, 2024

ECની જાહેરાત પહેલા અધીર રંજને કર્યો મોટો દાવો, કહ્યું- જ્ઞાનેશ કુમાર, બલવિંદર સંધુ બન્યા ચૂંટણી કમિશનર

Election Commissioner: કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, ‘મીટિંગમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, હું અને અર્જુન રામ મેઘવાલની આગેવાની હેઠળની સર્ચ કમિટીના લોકો સામેલ હતા.મીટીંગમાં હાજરી આપતા પહેલા જ મેં ટૂંકી યાદી રજૂ કરવા જણાવ્યું હતું, કારણ કે પસંદગી પહેલાં ટૂંકી સૂચિ બનાવવામાં આવે છે. વધુમાં કહ્યું કે દિલ્હી પહોંચતાની સાથે જ મને તે યાદી મળી હોત તો મને ઉમેદવારો વિશે માહિતી મળી હોત તો, પરંતુ મને તે તક ન મળી.

અધીર ચૌધરીએ દાવો કર્યો હતો
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, ‘ચૂંટણી કમિશનરની નિમણૂક માટેની સમિતિમાં સરકાર પાસે બહુમતી છે. અગાઉ, તેઓએ મને 212 નામ આપ્યા હતા, પરંતુ એપોઈન્ટમેન્ટની 10 મિનિટ પહેલા તેઓએ ફરીથી મને માત્ર છ નામ આપ્યા હતા. વધુમાં કહ્યું કે મને ખબર છે કે CJI ત્યાં નથી, સરકારે એવો કાયદો બનાવ્યો છે કે CJI દખલ ન કરે અને કેન્દ્ર સરકાર અનુકૂળ નામ પસંદ કરી શકે. હું એમ નથી કહેતો કે તે મનસ્વી છે પરંતુ જે પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે તેમાં કેટલીક ખામીઓ છે.

અરુણ ગોયલ વિશે અધિરે શું કહ્યું?
અધીર રંજન ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘અરુણ ગોયલની નિમણૂક સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેમની નિમણૂક અસ્તર ગતિએ હતી (પ્રકાશની ગતિ જેવી ઝડપના સંદર્ભમાં) થઇ છે. તેઓ ઝડપથી આવ્યા અને ડિજિટલ સ્પીડમાં ગયા અને પ્રોબ્લેમ વધારી દીધી. આ સમસ્યાનો સામનો કરવા માટે બે ચૂંટણી કમિશનરોની પસંદગી કરવામાં આવે તે જરૂરી છે. બીજી બાજુ પસંદગી સમિતિએ છ નામો રજૂ કર્યા હતા, જેમાં ઉત્પલ કુમાર સિંહ, પ્રદીપ કુમાર ત્રિપાઠી, જ્ઞાનેશ કુમાર, ઈન્દીવર પાંડે, સુખબીર સિંહ સંધુ અને ગંગાધર રાહતના નામ સામેલ છે અને અન્ય જે બે લોકોની પસંદગી કરવામાં આવી છે તે સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમાર છે.