મુર્શિદાબાદમાં 10,000 લોકોની ભીડ, SDPOની ગ્લોક પિસ્તોલ છીનવાઈ, જાણો કેવી રીતે ફાટી હિંસા

West Bengal Violence: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ગયા અઠવાડિયે વકફ એમેન્ડમેન્ટ એક્ટ વિરુદ્ધ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા અંગે, રાજ્ય સરકારે કલકત્તા હાઈકોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે હિંસાના દિવસે લગભગ 10,000 લોકોની ભીડ એકઠી થઈ હતી. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા ટોળાએ સ્થળ પર તૈનાત પોલીસની પિસ્તોલ પણ છીનવી લીધી. બંગાળ સરકારે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ઉશ્કેરાયેલા ટોળામાં લગભગ 10 લોકો ઘાતક હથિયારો લઈને ફરતા હતા, જેનાથી પોલીસે પોતાના અધિકારીઓને બચાવવા પડ્યા હતા.
#WATCH | West Bengal: Visuals from a shop in Dhuliyan town of Jangipur subdivision of Murshidabad district, which was set on fire today.
Violence broke out here during a protest against the Waqf Amendment Act on April 11. pic.twitter.com/YR8OGTNx7j
— ANI (@ANI) April 16, 2025
હિંસા કેવી રીતે ભડકી?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં લગભગ 8000-10000 લોકોની ભીડ બહાર PWD ગ્રાઉન્ડમાં એકઠી થઈ હતી. આ પછી, ભીડનો એક ભાગ અલગ થઈ ગયો અને લગભગ 5000 લોકો ઉમરપુર તરફ આગળ વધ્યા અને NHને બ્લોક કરી દીધો. આ પછી ભીડ બેકાબૂ થઈ ગઈ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા લાગ્યો. આ પછી તેઓએ પોલીસ કર્મચારીઓ પર ઇંટો અને પથ્થરમારો શરૂ કર્યો.
Video from the Murshidabad mob violence yesterday. As Jihadis pelted stones, bottles and set fire to an Ambulance, targeted Hindus and went on a rampage, one police officer is heard talking on the phone – “I’ll call later. The situation is out of control here” pic.twitter.com/Mw7KkmSFRb
— Nupur J Sharma (@UnSubtleDesi) April 12, 2025
SDPOની ગ્લોક પિસ્તોલ છીનવી લેવામાં આવી
ટોળાએ SDPOની ગ્લોક પિસ્તોલ છીનવી લીધી. ટોળાએ SDPOના સરકારી વાહનને આગ ચાંપી દીધી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે બિન-ઘાતક હથિયારોથી ગોળીબાર કર્યો પરંતુ ભીડ વધુ ઉશ્કેરાઈ ગઈ અને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. જે બાદ પોલીસ રિઇન્ફોર્સમેન્ટ ટીમ આવી, ત્યારબાદ ટીમને બે ભાગમાં વહેંચી દેવામાં આવી અને NHને ચાર કલાકમાં ક્લિયર કરી દેવામાં આવ્યું.
#WATCH | West Bengal | Morning visuals from Murshidabad, where violence erupted on Friday during a protest against the Waqf Amendment Act. Calcutta High Court ordered the deployment of central forces in violence-hit Murshidabad.
As per police, three people died in Dhuliyan,… pic.twitter.com/XS2G8ZGAKD
— ANI (@ANI) April 13, 2025
પિતા-પુત્રની હત્યાના આરોપીની ધરપકડ
મુર્શિદાબાદ જિલ્લામાં હિંસા દરમિયાન ઓછામાં ઓછા 3 લોકો માર્યા ગયા હતા. વકફ કાયદા સામે હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન જાફરાબાદ વિસ્તારમાં પિતા અને પુત્રની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હવે પોલીસે આ હત્યાના મુખ્ય સૂત્રધારોમાંથી એકની ધરપકડ કરી છે. આ સાથે, આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. ધરપકડ કરાયેલા માસ્ટરમાઇન્ડ આરોપીનું નામ ઇન્ઝામુલ હક છે અને બુધવારે મોડી રાત્રે સુતી વિસ્તારમાંથી દરોડા પાડ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.