September 20, 2024

પાકિસ્તાનમાં બે બસોનો ગંભીર અકસ્માત, 37 લોકોના મોત અનેક ઈજાગ્રસ્ત

Pakistan: 25 ઓગસ્ટે પાકિસ્તાનની બે બસો મોટા અકસ્માતનો શિકાર બની હતી. બે અલગ-અલગ બસ અકસ્માતમાં 11 શ્રદ્ધાળુઓ સહિત ઓછામાં ઓછા 37 લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વધુ એક અકસ્માત થયો છે. જ્યાં એક પેસેન્જર બસને અકસ્માત નડ્યો હતો. આ બસમાં લગભગ 35 મુસાફરો હતા, જેમની સાથે બસ હવેલી કહુટાથી રાવલપિંડી જઈ રહી હતી. ત્યારે પાના પુલ પાસે આ મોટો અકસ્માત થયો અને તેમાં 35 માંથી 26 લોકોના મોત થયા.

જોકે, અકસ્માત કયા કારણોસર થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. તે શોધવાનું શક્ય બન્યું નથી. કહુટા એ રાવલપિંડી જિલ્લાનો એક તાલુકો છે અને શહેરથી એક કલાકના અંતરે છે. હાલ સ્થાનિક રહેવાસીઓ બસમાંથી મૃતદેહોને બહાર કાઢી રહ્યા છે, જ્યારે પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે જઈ રહી છે. સાધનોતીના ડેપ્યુટી કમિશનર ઉમર ફારુકે જણાવ્યું કે મૃતકોમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. જે તમામ સાધનોતી જિલ્લાના હતા.

બીજી બસમાં 70 લોકો મુસાફરી કરી રહ્યા હતા
બીજી દુર્ઘટના ત્યારે થઈ જ્યારે 70 લોકોને લઈને ઈરાનથી પંજાબ પ્રાંતમાં શિયા યાત્રાળુઓને લઈ જતી બસ બલૂચિસ્તાન પ્રાંતમાં મકરાન કોસ્ટલ હાઈવે પરથી ઉતરી ગઈ. મકરાન કોસ્ટલ હાઇવે એ 653 કિમીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે પાકિસ્તાનના અરબી સમુદ્રના કિનારે સિંધ પ્રાંતના કરાચીથી બલૂચિસ્તાન પ્રાંતના ગ્વાદર સુધી વિસ્તરે છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મોટાભાગના મુસાફરો લાહોર અને ગુજરાનવાલાના હતા. આ અકસ્માતમાં 35 જેટલા લોકો ઘાયલ થયા છે. જિલ્લા કમિશ્નર લાસબેલા હુમૈરા બલોચે જણાવ્યું કે બચાવ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: 50 હજાર બેસિક સેલેરી… UPS હેઠળ કેટલું પેન્શન મળશે? સમજો અહીં ગણતરી

આ અકસ્માત થોડા દિવસ પહેલા થયો હતો
આના થોડા દિવસો પહેલા જ એક અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા, જ્યારે પાકિસ્તાની તીર્થયાત્રીઓને લઈને જતી અન્ય બસ ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેમાં લગભગ 35 લોકોના મોત થયા હતા અને 15 ઘાયલ થયા હતા. આ અકસ્માતના થોડા દિવસ બાદ એક જ દિવસમાં બે બસ અકસ્માતના સમાચાર આવ્યા છે. ગત વખત કરતા આ વખતે મરનારાઓની સંખ્યા વધુ છે. જો કે ગત વખતે એક બસના 35 મુસાફરોના મોત થયા હતા અને આ વખતે બે બસના કુલ 37 મુસાફરોના મોત થયા છે.