September 20, 2024

રાજસ્થાનમાં બાણગંગા નદી પરનો પાળો તૂટતાં 6 બાળકોના ડૂબી જતાં મોત

બાણગંગા દુર્ઘટના: રાજસ્થાનના ભરતપુરથી એક હચમચાવતી દુર્ઘટના સામે આવી છે. ભરતપુરના બયાનમાં ફરસો ગામ પાસે વહેતી બાણગંગા નદીના કિનારે બનાવેલ તળાવનો પાળો તૂટી ગયો. જેમાં 6 બાળકો ડૂબી ગયા, 8 બાળકો પાણીમાં તણાયા હતા. જેમાંથી 6 બાળકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સતત વરસાદને કારણે પાણીનું સ્તર વધી ગયું હતું, બાળકો પાણીનો પ્રવાહ જોવા માટે સ્થળ પર પહોંચ્યા હતા અને પાળો અચાનક તૂટી જતાં દુર્ઘટના સર્જાઇ હતી.