September 20, 2024

પ્રદર્શનકારીઓની તાલિબાની બર્બરતા, શેખ હસીનાના નેતાની હોટલ પર હુમલો; 8 લોકોને જીવતા સળગાવ્યા

Bangladesh Government Crisis : બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ પ્રદર્શનકારીઓની તાલિબાની કાર્યવાહી સામે આવી છે. અહીં જેસોરમાં સોમવારે એક હોટલમાં આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 8 લોકો દાઝી ગયા હતા અને 84 લોકો ઘાયલ થયા હતા. હોટલના માલિક જેસોર જિલ્લાના અવામી લીગના જનરલ સેક્રેટરી શાહીન ચકલાદાર હતા.

ડેપ્યુટી કમિશનર અબરારુલ ઈસ્લામે ઘટનાની પુષ્ટિ કરી છે. મૃતકોમાંથી બેની ઓળખ 20 વર્ષીય ચયન અને 19 વર્ષીય સેજાન હુસૈન તરીકે થઈ છે. હોસ્પિટલના કર્મચારી હારુન રશીદે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 84 લોકોની ત્યાં સારવાર ચાલી રહી છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે. શહેરમાં વિવિધ સ્થળોએ હજારો લોકો વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની ઉજવણી કરી રહ્યા હતા. ઉજવણી દરમિયાન કેટલાક લોકોએ ચિત્તમોર વિસ્તારમાં જબીર હોટલને આગ લગાડી અને તેનું ફર્નિચર તોડી નાખ્યું. બદમાશોએ જીલ્લા અવામી લીગની ઓફિસ અને શારશા અને બેનાપોલ વિસ્તારમાં વધુ ત્રણ અવામી લીગ નેતાઓના ઘરો પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: જમીનથી લઈ આકાશ સુધી, રાફેલે ભરી ઉડાન… બાંગ્લાદેશથી ભારત આ રીતે સુરક્ષિત પહોંચ્યા શેખ હસીના

અત્યાર સુધીમાં 300 લોકોએ જીવ ગુમાવ્યા છે

બાંગ્લાદેશમાં આગચંપી અને હિંસાને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 300 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવારે સમાચાર એજન્સી એએફપીના અહેવાલમાં આવો દાવો કરવામાં આવ્યો છે. જો કે, મૃત્યુઆંક 300 છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. AFPએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે રવિવારે બાંગ્લાદેશની શેરીઓમાં હિંસા થઈ હતી. મૃત્યુઆંક ઓછામાં ઓછો 300 પર પહોંચ્યો,

100 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ
અધિકારીઓએ આ અથડામણમાં 100 લોકોના મોતની પુષ્ટિ કરી છે. જો કે, એએફપીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે મૃત્યુઆંક ઓછામાં ઓછો 300 હતો. રવિવારે થયેલી ભીષણ અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત 100 લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.