મહાશિવરાત્રીના પર્વ પર બનાવો શક્કરિયાનો શીરો, નહીં તૂટે એકટાણું કે ઉપવાસ

Mahashivratri 2025: શિવરાત્રિના દિવસે મોટા ભાગના લોકો ઉપવાસ રાખતા હોય છે. ત્યારે અમે તમારા માટે ઈઝી રીતે શક્કરિયાના શિરાની રેસીપી લઈને આવ્યા છે. આવો જાણીએ આ મહાશિવરાત્રિના કેવી રીતે બનાવશે શક્કરિયાનો શિરો.
શક્કરિયાના શીરો બનાવવા માટેની સામગ્રી
- ખાંડ – 100 ગ્રામ
- દેશી ઘી – 100 ગ્રામ
- એલચી પાવડર – 1 ચમચી
- કેસર – 5
- કાજુ – 10
- બદામ – 10
- પિસ્તા – 10
- દૂધ – 1/2 કપ
- શક્કરિયા- 250 ગ્રામ
શક્કરિયાનો શીરો બનાવવાની રીત
શક્કરિયાને સારી રીતે બાફી લો. આ પછી તમારે હવે તેની છાલ કાઢી લેવાની રહેશે. આ પછી તમારે શક્કરિયાને મેશ કરી લેવાના રહેશે. આ પછી તમારે કડાઈમાં ઘી લેવાનું રહેશે. આ પછી તમારે તેમાં મેશ કરેલા શક્કરિયા ઉમેરવાના રહેશે. તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. હવે એક પેનમાં દૂધ લો આ પછી તેને ગરમ થવા દો. આ પછી તમારે તેમાં ખાંડ નાંખવાની રહેશે. આ પછી એલચી પાવડર નાંખવાનો રહેશે. હવે તમારે તેમાં બદામ, પિસ્તા, કાજુ નાંખવાના રહેશે. તો તૈયાર છે શક્કરિયાનો શીરો.