31 માર્ચ 2026 સુધીમાં ભારત નક્સલ મુક્ત થઈ જશે: ગૃહમંત્રી અમિત શાહ

Chhattisgarh Naxal encounter: છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં આજે બે અલગ અલગ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 30 નક્સલીઓને ઠાર કર્યા છે. આ કાર્યવાહી બીજાપુર અને કાંકેર જિલ્લામાં કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બીજાપુર જિલ્લામાં 26 નક્સલીઓ માર્યા ગયા હતા, જ્યારે કાંકેરમાં 4 નક્સલીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન, એક ડીઆરજી સૈનિક પણ શહીદ થયો. આજે બસ્તર ડિવિઝનમાં અત્યાર સુધીમાં કુલ 30 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ ઉપરાંત, એન્કાઉન્ટર સ્થળેથી મોટી માત્રામાં નક્સલી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.
‘नक्सलमुक्त भारत अभियान’ की दिशा में आज हमारे जवानों ने एक और बड़ी सफलता हासिल की है। छत्तीसगढ़ के बीजापुर और कांकेर में हमारे सुरक्षा बलों के 2 अलग-अलग ऑपरेशन्स में 22 नक्सली मारे गए।
मोदी सरकार नक्सलियों के विरुद्ध रुथलेस अप्रोच से आगे बढ़ रही है और समर्पण से लेकर समावेशन की…
— Amit Shah (@AmitShah) March 20, 2025
બીજાપુરમાં 30 નક્સલવાદી માર્યા ગયા, એક જવાન શહીદ
પોલીસના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર સવારે 7 વાગ્યાની આસપાસ બીજાપુર અને દાંતેવાડા જિલ્લાની સરહદે આવેલા જંગલોમાં થયું હતું. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી પર હતી ત્યારે તેઓ નક્સલીઓ સાથે સામસામે આવી ગયા. આમાં 18 નક્સલીઓ માર્યા ગયા હતા અને મોટી માત્રામાં શસ્ત્રો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. જોકે, આ એન્કાઉન્ટરમાં એક ડીઆરજી જવાન પણ શહીદ થયા હતા.
BIG Success to Security forces in #AntiNaxal Operation.
25 Naxalites eliminated in #Dantewada Distt of #Chhattisgarh.#Encounter still Continue, Naxal De@th toll may rise.#NaxalFreeBharat #viralvideo #MuskanRastogi #Divorce चित्रा त्रिपाठी #IPL2025 #YuzvendraChahal pic.twitter.com/Vm2zlzYQEO— ARMED FORCES (@ArmedForces_IND) March 20, 2025
આ નક્સલમુક્ત ભારત તરફનું એક મોટું પગલું: ગૃહમંત્રી અમિત શાહ
આ કાર્યવાહી પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુરક્ષા દળોએ નક્સલ મુક્ત ભારત તરફ બીજી મોટી સફળતા મેળવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે મોદી સરકાર નક્સલવાદીઓ સામે કડક નીતિ અપનાવી રહી છે અને જે નક્સલવાદીઓ આત્મસમર્પણ નથી કરી રહ્યા તેમની સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. 31મી માર્ચ સુધીમાં દેશને નક્સલમુક્ત બનાવવામાં આવશે.
અત્યાર સુધીમાં 105 નક્સલવાદીઓ માર્યા ગયા
છત્તીસગઢ પોલીસના જણાવ્યા અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં 105 નક્સલીઓ માર્યા ગયા છે, જેમાંથી 89 બસ્તર વિભાગમાં માર્યા ગયા છે. બીજાપુર અને કાંકેર જિલ્લા પણ તેમાં સામેલ છે. સુરક્ષા દળોએ બંને એન્કાઉન્ટર સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે અને વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.