રાજકોટથી જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા 17 પ્રવાસીઓ હજુ પણ પરત નથી ફર્યા, જુઓ યાદી

રાજકોટ: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં તણાવની સ્થિતી વચ્ચે પ્રવાસીઓ ત્યાંથી પોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે રાજકોટથી જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા 17 પ્રવાસીઓ હજુ પણ પરત ફર્યા નથી.
શ્રીનગરની હોટેલમાં જ ફસાયેલા રાજકોટના પ્રવાસીઓ પરત ફરે તેવી શક્યતાઓ છે. તમામને તેમની અનુકૂળતા મુજબ ફલાઇટ સહીત અન્ય સગવળતાઓ પહોંચાડવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સત્તત પ્રવાસીઓના સંપર્કમાં છે.
જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓની યાદી
- કુલદીપસિંહ નકુમ
- રુચિ નકુમ
- રાજદિપસિંહ વાઘેલા
- વૈશાલીબા વાઘેલા
- જગદિપ રસિકલાલ પારેખ
- નીતાબેન જગદીશ પારેખ
- મહેન્દ્રભાઈ એમ. મહેતા
- મયુરીબેન. એમ. મહેતા
- નીરવ રમેશભાઈ આચાર્ય
- કિંજલબેન નીરવભાઈ આચાર્ય
- જ્ઞાનેશ નિરવભાઈ આચાર્ય
- તીર્થ નિરવભાઈ આચાર્ય
- હેત મનોજભાઈ માંકડ
- હિતેશ કતીરા
- હિતેશભાઈના માતા
- મૃદુલા કતીરા (પત્ની)
- રોનક કતીરા (પુત્ર)