9 કરોડથી વધુ ખેડૂતોને મોટી ભેટ, PM મોદીએ 17મો હપ્તો જમા કર્યો
PM Kisan 17th installment: સતત ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદી સરકારે દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને પહેલી મોટી ભેટ આપી છે. હકિકતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં પીએમ-કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો છે. આ અંતર્ગત લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો મોકલવામાં આવ્યો છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ ત્રીજી વખત શપથ લીધા બાદ જે પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા તે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ના 17મા હપ્તાની રજૂઆત સાથે સંબંધિત હતી.
PM Modi First move towards Farmers In MODI 3.0.
Puts 20,000 cr in 9.26 cr people’s account #modi3.0 pic.twitter.com/8ykX58NLjX— Kishan Boss (@KishanBoss1) June 18, 2024
વારાણસીથી 17મો હપ્તો મોકલ્યો
હકિકતે, વડાપ્રધાન મોદીએ મંગળવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી હતી. સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ વારાણસીની આ તેમની પ્રથમ મુલાકાત છે. આ સમયગાળા દરમિયાન પીએમ મોદીએ લગભગ 9.26 કરોડ લાભાર્થી ખેડૂતો માટે રૂ. 20,000 કરોડથી વધુના હપ્તા જારી કર્યા છે.
નોંધણી માટે શું કરવું
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની નોંધણી પ્રક્રિયા સરળ છે. તમે ઑનલાઇન ઓફિશિયલ પોર્ટલ http://pmkisan.gov.in પર જઈને તમારી જાતને નોંધણી કરાવી શકો છો. ખેડૂતો PM-કિસાન હેઠળ નોંધણી માટે રાજ્ય સરકાર દ્વારા નામાંકિત સ્થાનિક પટવારી/મહેસુલ અધિકારી/નોડલ અધિકારીનો પણ સંપર્ક કરી શકે છે. PM-કિસાન પોર્ટલ પર કિસાન કોર્નર, CSC અને મોબાઈલ એપ દ્વારા નોંધણી માટેની વિશેષ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.