March 18, 2025

PM મોદીએ માર્સેલીની લીધી મુલાકાત, જેનું વીર સાવરકર સાથે છે ખાસ કનેક્શન

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તેમના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે માર્સેલી પહોંચ્યા છે. પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. માર્સેલી પહોંચ્યા પછી, પીએમએ કહ્યું કે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં આ શહેરનું ઐતિહાસિક મહત્વ છે. વીર સાવરકરના ભાગી જવાના પ્રયાસને યાદ કરતા વડાપ્રધાને તે મુશ્કેલ સમયમાં તેમને ટેકો આપનારા ફ્રેન્ચ કાર્યકર્તાઓનો આભાર માન્યો.

માર્સેલી પહોંચ્યા પછી, પીએમ મોદીએ X પર લખ્યું, ‘હું માર્સેલીમાં આવ્યો છું.’ ભારતની સ્વતંત્રતાની શોધમાં આ શહેરનું વિશેષ મહત્વ છે. અહીં જ મહાન વીર સાવરકરે હિંમતભેર ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. હું માર્સેલીના લોકો અને તે સમયના ફ્રેન્ચ કાર્યકરોનો પણ આભાર માનું છું જેમણે વીર સારવરકરને બ્રિટિશ કસ્ટડીમાં ન સોંપવાની માંગ કરી હતી. વીર સાવરકરની બહાદુરી પેઢી દર પેઢી પ્રેરણા આપતી રહેશે.

ઉલ્લેખનીય છે કે, વીર સાવરકરનો માર્સેલી સાથેનો સંબંધ 1910થી છે જ્યારે તેમણે બ્રિટિશ શાસન સામે રાજકીય કેદી તરીકે લઈ જવામાં આવતા હિંમતભેર ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. ભારતના સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય વ્યક્તિ, સાવરકર, બ્રિટિશ શાસન વિરુદ્ધ તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ બદલ લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમને કેસનો સામનો કરવા માટે બ્રિટિશ જહાજ એસ.એસ. મોરિયા પર લઈ જવામાં આવી રહ્યા હતા. 8 જુલાઈ, 1910ના રોજ ફ્રાન્સના માર્સેલી બંદર પર જહાજ ડોક થતાં જ સાવરકરે ભાગી જવાની તક જોઈ.

તેઓ એક પોર્ટહોલમાંથી બહાર નીકળી ગયા અને ફ્રાન્સમાં આશ્રય મેળવવાની આશા સાથે તરીને કિનારે પહોંચ્યા. જોકે, તેઓ સંપૂર્ણપણે ભાગી શકે તે પહેલાં તેમને ફ્રેન્ચ અધિકારીઓ દ્વારા પકડી લેવામાં આવ્યા અને બ્રિટિશ અધિકારીઓને પાછા સોંપવામાં આવ્યા. આ વિવાદાસ્પદ પ્રત્યાર્પણથી બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે રાજદ્વારી વિવાદ થયો. ઘણા ફ્રેન્ચ કાર્યકરો અને નેતાઓએ બ્રિટિશ દળો દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કર્યો અને દલીલ કરી કે સાવરકરને પાછા ન મોકલવા જોઈએ.

આ કેસ હેગ ખાતેની કાયમી મધ્યસ્થી અદાલત સુધી પણ પહોંચ્યો. પરંતુ અંતે સાવરકરને બ્રિટિશ કસ્ટડીમાં પાછા મોકલવામાં આવ્યા અને બાદમાં તેમને આંદામાન અને નિકોબાર ટાપુઓની કુખ્યાત સેલ્યુલર જેલમાં કેદ કરવામાં આવ્યા.

CEO ફોરમને સંબોધિત કર્યું
આ પહેલા પીએમ મોદીએ પેરિસમાં સીઈઓ ફોરમને સંબોધિત કર્યું હતું. ટ્વિટર પર એક પોસ્ટમાં, પીએમએ લખ્યું, “ભારત-ફ્રાન્સ સીઈઓ ફોરમ આર્થિક સંબંધોને મજબૂત બનાવવામાં અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બંને દેશોના વ્યાપાર નેતાઓને સહયોગ કરતા અને મુખ્ય ક્ષેત્રોમાં નવી તકો ઉભી કરતા જોવાનું આનંદદાયક છે. આ વૃદ્ધિ, રોકાણને વેગ આપે છે અને આવનારી પેઢીઓ માટે વધુ સારું ભવિષ્ય સુનિશ્ચિત કરે છે.”

સીઈઓ ફોરમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘આ ફક્ત એક બિઝનેસ ઇવેન્ટ નથી. આ ભારત અને ફ્રાન્સના શ્રેષ્ઠ ઉદ્યોગપતિઓનું સંગમ છે. સીઈઓ ફોરમના રિપોર્ટનું હું સ્વાગત કરું છું જે હમણાં જ રજૂ કરવામાં આવ્યો છે. હું જોઉં છું કે તમે બધા ઈનોલેટ અને એલિવેટ મંત્રને અનુસરી રહ્યા છો. તમે બધા ન ફક્ત બોર્ડરૂમ જોડાણો જ બનાવી રહ્યા છો, પરંતુ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને પણ મજબૂત બનાવી રહ્યા છો. છેલ્લા બે વર્ષમાં આ મારી તેમની (ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન) સાથે છઠ્ઠી મુલાકાત છે. મિત્રો, મારા મિત્ર મેક્રોન સાથે આ ફોરમમાં જોડાવું મારા માટે આનંદની વાત છે. આજે સવારે અમે AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી.

પીએમએ કહ્યું કે સવારે મેં મારા મિત્ર અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી. આ સફળ શિખર સંમેલન માટે હું રાષ્ટ્રપતિ મેક્રોનને અભિનંદન આપું છું. ભારત અને ફ્રાન્સ ફક્ત લોકશાહી મૂલ્યો દ્વારા જોડાયેલા નથી, પરંતુ આપણી મિત્રતાનો પાયો ઊંડા વિશ્વાસ, નવીનતા અને જાહેર કલ્યાણની ભાવના પર આધારિત છે. આપણી ભાગીદારી ફક્ત બે દેશો પૂરતી મર્યાદિત નથી. અમે વૈશ્વિક સમસ્યાઓ અને પડકારોના ઉકેલમાં પણ યોગદાન આપી રહ્યા છીએ.